
Devbhoomi નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રામમંદિર ભૂમિપૂજન માં મંડપડેકોરેશન- અયોધ્યા #ram #Ayodhya. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો મંદિરની સજાવટનો વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન માટે સજાવટ કરવામાં આવેલા મંડપ ડેકોરેશનનો છે. આ પોસ્ટને 61 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો મંદિરની સજાવટનો વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન માટે સજાવટ કરવામાં આવેલા મંડપ ડેકોરેશનનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને Hi Music દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો મંદિરની સજાવટનો આજ વીડિયો 6 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘વૈકુંઠ એકાદશી 2020. જીયાગુડા રંગાનાથસ્વામી મંદિર, હૈદરાબાદ’.
આજ માહિતી સાથે અન્ય મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Hmtv News | Telangana Tourist Badri | Dil Se
ઉપરોક્ત તમામ માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જાન્યુઆરી, 2020 માં હૈદરાબાદના જીયાગુડા રંગાનાથસ્વામી મંદિર ખાતે વૈકુંઠ એકાદશી નિમિત્તે સજાવટ કરવામાં આવી હતી તેનો છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જાન્યુઆરી, 2020 માં હૈદરાબાદના જીયાગુડા રંગાનાથસ્વામી મંદિર ખાતે વૈકુંઠ એકાદશી નિમિત્તે સજાવટ કરવામાં આવી હતી તેનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન માટે કરવામાં આવેલા મંડપ ડેકોરેશનનો નહીં પરંતુ જાન્યુઆરી, 2020 માં હૈદરાબાદના જીયાગુડા રંગાનાથસ્વામી મંદિર ખાતે વૈકુંઠ એકાદશી નિમિત્તે સજાવટ કરવામાં આવી હતી તેનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:હૈદરાબાદના મંદિરની સજાવટનો જૂનો વીડિયો રામ મંદિર ભૂમિપૂજનની સજાવટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
