TV9 ની ન્યુઝપ્લેટને એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી.

TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ માટે માતાપિતાની સહિ ફરજિયાત કરવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharat Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ માટે માતાપિતાની સહિ ફરજિયાત કરવામાં આવી.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ધણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, મહેસાણાના નુગર ગામ ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બંધારણ ના નડે એ રીતે પ્રેમ લગ્ન બાબતે અભ્યાસ કરીશું એવું નિવેદન આપ્યુ હતુ. જે બાદ જ આ વાત વહેતી થઈ છે કે પ્રેમલગ્ન માટે માતા-પિતાની સહિ ફરજિયાત કરવામાં આવી. મુખ્યમંત્રીનું આ નિવેદન તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ટીવીનાઈનનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મહેસાણા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દીકરીઓ ભાગીને પ્રેમલગ્ન કરે છે, તે બાબતે માતા-પિતાની સંમતિ થાય તે અંગે વિચારવું જોઈએ તેમ સૂચન કર્યા બાદ મુખ્યમંત્રીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ અંગે સ્ટડી કરીશું અને બંધારણ ના નડે તે રીતે દીકરીઓના પ્રેમલગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું.

TV9 Gujarati | Archive

તેમજ ટીવીનાઈનનો જે સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે તે પણ એડિટેડ છે. અમને ઓરિજનલ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેને ડિજિટલી એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. ઓરિજનલ સ્ક્રિનશોટ અને વાયરલ સ્ક્રિનશોટ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત સરકારના ગૃહ વિભાગનો સંપર્ક સાધ્યો હતો, ત્યાથી અમને જાણવા મળ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિર્ણય હાલમાં લેવામાં આવ્યો નથી. આ અંગે હજુ કોઈ કાયદો ઘડવામાં આવ્યો નથી. આ હાલમાં એક અફવા જ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે લવ મેરેજને લઈ કોઈ કાયદો હજુ ગુજરાત સરકાર દ્વારા નથી ઘડવામાં આવ્યો, લોકો સુધી તદ્દન ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Brake The Fake: લવ મેરેજ કરવા માતાપિતાની સહી ફરજિયાત નથી કરાઈ...જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False