તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં એવું કહ્યું કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી અને રાવણનો વધ પણ રામે નહોતો કર્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીનું જે નિવેદન મૂકવામાં આવ્યું છે એ અધૂરું છે. ઓરિજીનલ નિવેદનમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી પણ રાવણના અહંકારે સળગાવી હતી. તેમજ રાવણનો વધ પણ રામે નહોતો કર્યો પરંતુ રાવણના અહંકારે કર્યો હતો. રાહુલ ગાંધીના આ અધૂરા નિવેદનને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kamlesh Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી નુ રામાયણ જ્ઞાન રાવણ ની લંકા હનુમાનજી એ નહોતી સળગાવી રાવણ નો વધ રામજી એ નહોતો કયોઁ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં એવું કહ્યું કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી અને રાવણનો વધ પણ રામે નહોતો કર્યો.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 9 ઓગષ્ટ, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, 9 ઓગષ્ટ, 2023 ના રોજ સંસદભવન ખાતે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણનો આ વીડિયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એવું બોલી રહ્યા છે કે, “लंका को हनुमान ने नहीं जलाया था। लंका को रावण के अहंकार ने जलाया था। राम ने रावण को नहीं मारा था। रावण के अहंकार ने रावण को मारा था।”.

આજ વીડિયો અમને રાહુલ ગાંધીના સત્તાવાર યુટ્યુબ પર પણ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ તમે 30.17 મિનિટ પર રાહુલ ગાંધીના વાયરલ વીડિયોના નિવેદનને જોઈ શકો છો.

રાહુલ ગાંધીના આજ અધૂરા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. Facebook Post

નીચે તમે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ભાષણના વાયરલ અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીનું જે નિવેદન મૂકવામાં આવ્યું છે એ અધૂરું છે. ઓરિજીનલ નિવેદનમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી પણ રાવણના અહંકારે સળગાવી હતી. તેમજ રાવણનો વધ પણ રામે નહોતો કર્યો પરંતુ રાવણના અહંકારે કર્યો હતો. રાહુલ ગાંધીના આ અધૂરા નિવેદનને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યું છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાહુલ ગાંધીનું અધૂરું નિવેદન ખોટી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context