ABVP કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎‎‎Bharvi Kumar  નામના ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2020   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોલો આ તો ઘરના જ ચોર નીકળ્યા આ તો ભક્તો તમારા સાથીદારોજ નીકળ્યા કેમ ભક્તો આને ક્યાં મોકલશો… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના સાથી સંગઠન ABVP ના કાર્યકરો દ્વારા CAA, NRC અને CAB નો વિરોધ કરવામાં આવ્યો. આ પોસ્ટને 155 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.01.03-14_51_09.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભાજપના સાથી સંગઠન ABVP ના કાર્યકર્તાઓ દ્વારા CAA, NRC અને CAB નો વિરોધ કરવામાં આવ્યો? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ahmedabadmirror.indiatimes.com દ્વારા 19 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જે માણસો દેખાય છે એજ માણસો સાથેના ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 18 ડિસેમ્બર, 2019 ના રોજ અમાદાવાદ ખાતે ABVP ના કાર્યકરો દ્વારા નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-ahmedabadmirror.indiatimes.com-2020.01.03-14_40_19.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. dnaindia.com | thehindubusinessline.com

આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. નીચે તમે ઓરિજીનલ ફોટો અને એડિટીંગ કરેલા ફોટોના તફાવતને જોઈ શકો છો.

2020-01-03.png

અમદાવાદ મિરરના સમાચારમાં ABVP ના સંયુક્ત સચિવ નિખિલ મેથિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિખિલ મેથિયા ગુજરાત ABVP ના રાજ્ય સચિવ છે. જ્યારે અમે તેમના ફેસબુક પર મૂકવામાં આવેલા ફોટોની તુલના પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે કરી ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે પોસ્ટમાં જે વાદળી કુર્તા સાથે દેખાઈ રહ્યા છે એ નિખિલ મેથિયા છે. ત્યાર બાદ જ્યારે અમે નિખિલ મેથિયા સાથે આ અંગે વાત કરી, ત્યારે તેઓએ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો એડિટીંગ કરીને મૂકવામાં આવ્યો હોવાનું અમને જણાવ્યું હતું. તેમજ તેઓએ આ બંને ફોટોની સરખામણી સાથેની એક ફેસબુક પોસ્ટ પણ કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ABVP ના કાર્યકરોનો CAA નો વિરોધ કરતો ફોટો ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ABVP ના કાર્યકરોનો CAA નો વિરોધ કરતો ફોટો ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:ABVP કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False