શું અરવિંદ કેજરીવાલ પર IIT ખડગપુરમાં એન્જિનિયરિંગના દિવસો દરમિયાન બળાત્કારનો આરોપ લાગ્યો હતો...? જાણો શું છે સત્ય....
વર્ષ 1987માં અરવિંદ કેજરીવાલ બળાત્કારના ગુનામાં સંડોવાયેલા હોવા અંગેની વાયરલ તસ્વીર અખબારની ક્લિપ અખબાર જનરેટર વેબસાઇટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલ પર તેમની એન્જિનિયરિંગ ડિગ્રીના દિવસોમાં બળાત્કારના આરોપના અહેવાલ સાથેનું એક અખબારનું ક્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. 8 જૂન 1987ના આ અખબારમાં માહિતી આપવામાં આવી છે કે, “19 વર્ષીય અરવિંદ કેજરીવાલ જ્યારે IIT ખડગપુરમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની સામે બળાત્કારના આરોપમાં પોલીસે તેમની અટકાયત કરી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “19 વર્ષીય અરવિંદ કેજરીવાલ જ્યારે IIT ખડગપુરમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની સામે બળાત્કારના આરોપમાં પોલીસે તેમની અટકાયત કરી હતી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌ પ્રથમ વાયરલ ન્યૂઝપેપર કટિંગને નજીકથી જોતા જાણવા મળ્યુ હતુ કે તેમાં ઘણી ફોર્મેટિંગ ભૂલો છે. શબ્દો અને ફકરા વચ્ચેની જગ્યા. સામાન્ય રીતે મોટા પ્રિન્ટ મીડિયા હાઉસ આવી ભૂલો કરતા નથી. વાયરલ અખબારની ક્લિપ વિશ્વસનીય છે કે કેમ તે આનાથી અમારી શંકા ઊભી થઈ.
વિવિધ કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ પર સર્ચ કર્યા પછી અરવિંદ કેજરીવાલે બળાત્કાર જેવો જઘન્ય અપરાધ કર્યો હોવાનું કોઈ પરિણામ દેખાતું નથી. અમને કોઈ મુખ્ય પ્રવાહના મીડિયા અથવા વિરોધ પક્ષોએ ક્યારેય આ મુદ્દા સામે અવાજ ઉઠાવ્યો નથી. આનાથી અમને શંકા થઈ કે આ અખબારની ક્લિપ બનાવટી છે અથવા બનાવવામાં આવી છે.
યાન્ડેક્ષ રિવર્સ ઈમેજ સર્ચ કરતા અમને વેબસાઈટ (આર્કાઈવ) પર અપલોડ કરેલી સમાન ઈમેજ તરફ દોરી ગયું. આ અખબારની ક્લિપ ઓનલાઈન ન્યૂઝપેપર ક્લિપ જનરેટર વેબસાઈટનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવી હતી.
આ અખબારની ક્લિપમાં વાયરલ ક્લિપ સાથે કેટલીક સમાનતાઓ છે. ઉપરોક્ત ક્લિપની એક્સ્ટ્રીમ જમણી બાજુનું લખાણ વાયરલ ઈમેજ જેવું જ છે. નીચે તમે સરખામણી જોઈ શકો છો.
તેમજ નીચે તમે કોઈપણ અખબારની ક્લિપ બનાવવાની પ્રક્રિયા જોઈ શકો છો. અમે ક્લિપ જનરેટ કરવા માટે Fodey વેબસાઇટનો ઉપયોગ કર્યો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વર્ષ 1987માં અરવિંદ કેજરીવાલ બળાત્કારના ગુનામાં સંડોવાયેલા હોવા અંગેની વાયરલ તસ્વીર અખબારની ક્લિપ અખબાર જનરેટર વેબસાઇટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું અરવિંદ કેજરીવાલ પર IIT ખડગપુરમાં એન્જિનિયરિંગના દિવસો દરમિયાન બળાત્કારનો આરોપ લાગ્યો હતો...? જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False