
સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અને ભાજપા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જોવા મળે છે. જેમાં મહેશ સવાણી દ્વારા સીઆર પાટીલને એક બુક આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ભાજપામાં જોડાયા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, આપના નેતા મહેશ સવાણી ભાજપામાં નથી જોડાયા તેઓ આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
કાકા ચાલે વાંકા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ભાજપામાં જોડાયા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “સુરતમાં પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ભવ્ય સમૂહલગ્ન સમારોહ “ચુંદડી મહિયરની”ના પ્રથમ દિવસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કોંગ્રેસના પ્રતાપ દુધાત, આપ નેતા પ્રવીણ રામ, વિજય સુવાળા, નીખીલ સવાણી સહીત અનેક સમાજ અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.”

તેમજ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમે મહેશ સવાણીના સોશિયલ મિડિયા એકાઉન્ટ (ફેસબુક, ટ્વિટર) ચેક કર્યા હતા, જેમાં ક્યાય પણ તેમણે આમ આદમી પાર્ટી છોડી અને ભાજપા જોઈન કર્યુ હોવાનો ઉલ્લેખ ન હતો.
તેમજ અમે મહેશ સવાણીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મે આમ આદમી પાર્ટી છોડી અને ભાજપા જોઈન કર્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છુ અને આમ આદમી પાર્ટીમાં જ રહીશ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, આપના નેતા મહેશ સવાણી ભાજપામાં નથી જોડાયા તેઓ આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલા છે.

Title:શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ભાજપામાં જોડાયા…?
Fact Check By: Yogesh KariaResult: False
