શું ખરેખર તાજેતરમાં કેરલના ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પૂરુ પાડવાનું વચન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેરલના ભાજપના નેતાના ફોટા તેમજ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરલમાં ચૂંટણી જીતવા પર ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પુરુ પાડવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે ફોટો અને વીડિયો મૂકવામાં આવ્યા છે એ વર્ષ 2017 માં કેરલના મલ્લાપુરમ ખાતે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એન શ્રીપ્રકાશ દ્વારા આ પ્રકારે જનતાને વચન આપવામાં આવ્યું હતું તેનો છે. આ વીડિયોને હાલની ચૂંટણીઓ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharat Boricha નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કેરલ માં બીજેપી નો વાયદો. બીજેપી ની સરકાર બનશે તો સ્વચ્છ કસાઈ ઘર મળશે અને સારી ગુણવત્તા નું ગાય નું માંસ ખાવા મળશે. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરલમાં ચૂંટણી જીતવા પર ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પુરુ પાડવાનું વચન આપવામાં આવ્યું.

screenshot-www.facebook.com-2021.03.06-18_38_38.png

Facebook Post | Archive

અમારી વધુ તપાસમાં અમને સાચી વાત નામના અન્ય એક ફેસબુજ પેજ દ્વારા પણ કેરલના ભાજપના નેતા દ્વારા આ પ્રકારનું વચન આપતો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને IndiaTV દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં ભાજપના નેતા દ્વારા સારું માંસ આપવાનું વચન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર 4 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2017 માં કેરલના મલ્લાપુરમ ખાતે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એન શ્રીપ્રકાશ દ્વારા જો તેઓ ચૂંટણી જીતશે તો જનતાને સારું માંસ અને મટન પુરું પાડશે એવું વચન આપવામાં આવ્યું હતું.

Archive

આજ વીડિયો માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV | InKhabar | India News Viral

અમારી વધુ તપાસમાં અમને આજ તક દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર 2 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

screenshot-www.aajtak.in-2021.03.02-23_11_34.png

Archive 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે ફોટો અને વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2017 માં કેરલના મલ્લાપુરમ ખાતે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એન શ્રીપ્રકાશ દ્વારા આ પ્રકારે જનતાને વચન આપવામાં આવ્યું હતું તેનો છે. આ વીડિયોને હાલની ચૂંટણીઓ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં કેરલના ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પૂરુ પાડવાનું વચન આપવામાં આવ્યું…?

Fact Check By: Vikas Vyas 

Result: Misleading