વાયરલ તસવીર વર્ષ 2019ની છે. તે વર્ષે દિલ્હીમાં યમુના નદીના ફીણ વચ્ચે છઠનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે આ પ્રકારે છઠ પૂજા નથી મનાવવામાં આવી.

હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નદી અંદર ઉભેલા લોકોને જોઈ શકાય છે. અને પાણી અંદર ખૂબ જ ગંદૂ હોવાનુ જોઈ શકાય છે. જેમાં તેઓ પૂજા કરી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં દિલ્હીમાં છઠ પૂજા દરમિયાન લોકોએ પ્રદૂષિત પાણીમાં ઉભા રહ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jatin Fultariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં દિલ્હીમાં છઠ પૂજા દરમિયાન લોકોએ પ્રદૂષિત પાણીમાં ઉભા રહ્યા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને મુંબઈ મિરરનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, યમુના નદીમાં જીવલેણ ઝેરી ફીણ હોવા છતા લોકો છઠ પૂજા માટે આવે છે.

તેમજ અમરઉજાલા (સંગ્રહ) દ્વારા પણ આ ફોટોને વર્ષ 2019માં શેર કરવામાં આવ્યો હતો માહિતી આપવામાં આવી હતી કે, “દિવાળી પછી દિલ્હી-એનસીઆરનું વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું છે. યમુનામાં પ્રદૂષણની માત્રામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી યમુનામાં એમોનિયાનું પ્રમાણ વધ્યું છે.”
વર્ષ 2022માં દિલ્હીની છઠ પૂજા.?
ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થયુ કે વાયરલ ફોટો વર્ષ 2019નો છે તો આ વર્ષે દિલ્હીમાં છઠ પૂજા કેવી રીતે ઉજવાય તે જાણવા અમે સર્ચ કરતા અમને નવભારત ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હી સરકાર દ્વારા છઠ પૂજા નિમિતે આ વર્ષે કૃત્રિમ ઘાટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.”

તેમજ છઠ પૂજા પહેલા દિલ્હી જળ બોર્ડના અધિકારીઓ દ્વારા યમુના ફોગનું પ્રમાણ ઓછુ કરવા માટે કેમિકલનો પણ છંટકાવ કર્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ તસવીર વર્ષ 2019ની છે. તે વર્ષે દિલ્હીમાં યમુના નદીના ફીણ વચ્ચે છઠનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે આ પ્રકારે છઠ પૂજા નથી મનાવવામાં આવી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જૂના ફોટોને હાલની છઠ પૂજા દરમિયાનનો દિલ્હીનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
