અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આ ફિલ્મ 2024માં બની નથી, ફિલ્મ 2018માં વારાણસી પર બની હતી…
વાયરલ ક્લિપ 2018ની ફિલ્મ મોહલ્લા અસ્સીની છે. જે અયોધ્યા નહીં પણ વારાણસી પર આધારિત હતી.
અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ફિલ્મના એક દ્રશ્યનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ અયોધ્યા રામ મંદિર નિર્માણ પર 2024ની નવી ફિલ્મનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ અયોધ્યા રામ મંદિર નિર્માણ પર 2024ની નવી ફિલ્મનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં અમે વાયરલ વીડિયોના કેટલાક સ્ક્રીનશોટ લીધા હતા. મળેલી તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કર્યા પછી, અમને યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 15 ઓક્ટોબર, 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ તાજેતરની નથી. ચેનલમાં ફિલ્મનું નામ મોહલ્લા અસ્સી જણાવવામાં આવ્યું છે.
જ્યારે આ ફિલ્મ અન્ય યુટ્યુબ ચેનલો પર 30 જુલાઈ 2021ના રોજ અપલોડ કરવામાં આવી છે. અહીં પણ ફિલ્મના નામનો ઉલ્લેખ મોહલ્લા અસ્સી તરીકે કરવામાં આવ્યો હતો.
વધુ તપાસમાં, ફિલ્મ વિશે વધુ જાણવા માટે, અમે કીવર્ડ્સની મદદથી શોધ કરી અને જાણવા મળ્યું કે આ ફિલ્મ 16 નવેમ્બર 2018ના રોજ રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ કાશીનાથ સિંહની 2004ની હિન્દી નવલકથા 'કાશી કા અસ્સી' પર આધારિત છે.
અમને 15 જાન્યુઆરી 2023 ના રોજ ભારતીય મૂવીઝ નામની ચેનલ પર યુટ્યુબ પર આ સંપૂર્ણ મૂવી જોવા મળી. જેમાં 47 મિનિટ 28 સેકન્ડની વાયરલ ક્લિપ જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ક્લિપ 2018ની ફિલ્મ મોહલ્લા અસ્સીની છે. જે અયોધ્યા નહીં પણ વારાણસી પર આધારિત હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર આ ફિલ્મ 2024માં બની નથી, ફિલ્મ 2018માં વારાણસી પર બની હતી...
Written By: Frany KariaResult: Misleading