Fake News: શું ખરેખર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ દરગાહ પહોંચ્યા હતા.? જાણો શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

દિલ્હીમાં રામદેવ પીરની સમાધિની પ્રતિકૃતિ પર શ્રદ્ધાંજલિ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીની જૂની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે. આ માટે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શંકરાચાર્યને લઈને વિવાદ થયો હતો.

દરમિયાન, જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં તે એક સમાધિ પર ફૂલ ચઢાવતા જોવા મળે છે. વાયરલ તસવીરની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે “સ્વામી અવિમુક્તેશ્વરાનંદે દરગાહની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાદર ચઢાવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સ્વામી અવિમુક્તેશ્વરાનંદે દરગાહની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાદર ચઢાવી હતી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

તપાસ દરમિયાન જ્યારે અમે વાયરલ તસવીરને રિવર્સ ઇમેજ થી સર્ચ કરી તો અમને ફેસબુક પેજ પર એક પોસ્ટ મળી. ફેસબુક પેજ પર કહેવામાં આવ્યું કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આ તસવીર 2006ની છે. તે સમયે તેમણે રાજધાની દિલ્હીમાં ‘રામ સેતુ રક્ષા મંચ’ના બેનર હેઠળ એક રેલીનું નેતૃત્વ કર્યું હતું અને ત્યારબાદ તેમણે સ્વામી રામાનંદની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. 

વધુ શોધ પર, અમને જ્યોતિર્મથ શંકરાચાર્યના ટ્વિટર હેન્ડલ પરથી 16 જાન્યુઆરી, 2024ના રોજ પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો. ધ વાયરના પત્રકાર કરણ થાપરને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વાયરલ થઈ રહેલી તસવીર વિશે વાત કરી હતી. તેણે કહ્યું છે કે આ તસવીર તેની ઈમેજ ખરાબ કરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય અજમેર શરીફ દરગાહ ગયા નથી. વાયરલ દાવો ખોટો છે.

વાયરલ તસવીર પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે રામદેવ પીર નામના સંત છે. તે સમયે અમે રામ સેતુની રક્ષા માટે આંદોલન ચલાવી રહ્યા હતા. તે સમયે અમે અરવિંદ સ્વામી નામના વ્યક્તિને મળ્યા, જેમણે અમને મદદ કરી અને બદલામાં અમને દિલ્હીમાં બનેલા આશ્રમમાં આવવાનું આમંત્રણ આપ્યું. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વધુમાં જણાવ્યું હતું કે અરવિંદ સ્વામી તેમની સમાધિની પ્રતિકૃતિ બનાવીને રામદેવ પીરની પૂજા કરે છે. અમે અહીં જ ગયા હતા. તે સમયે પુરીના શંકરાચાર્ય મહારાજ પણ અમારી સાથે હતા. ઘણા પ્રતિષ્ઠિત સંતો અને મહાત્માઓ પણ ત્યાં ગયા હતા. આ તસવીર ત્યાંની છે. 

અવિમુક્તેશ્વરાનંદ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કેમ નથી જતા?

જ્યોતિર્મઠના વર્તમાન જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિરના અભિષેકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે રામ મંદિરનું નિર્માણ અધૂરું છે. આવી સ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવો ધાર્મિક માન્યતાઓ વિરૂદ્ધ છે. શંકરાચાર્ય પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ ન લેવાને કારણે ઘણો વિવાદ ઊભો થયો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, દિલ્હીમાં રામદેવ પીરની સમાધિની પ્રતિકૃતિ પર શ્રદ્ધાંજલિ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીની જૂની તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ દરગાહ પહોંચ્યા હતા.? જાણો શું છે સત્ય…

Written By: Frany Karia 

Result: Misleading