
Kanubhai Somabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ છોકરી દયાદરા થી ભરૂચ તરફ જતા રોડ ઉપર થી મળેલ છે જે ગામ નુ નામ.. આણંદ અને પુજા હરીભાઇ વસાવા ની દીકરી તરીકે ની પોતાની ઓળખ આપે છે .. આણંદ તરફ નુ ગ્રુપ હોય તો મદદ કરશો .છોકરી ને તેના પરીવાર ને ભેટો થઇ શકે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 182 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બાળક દયાદરા થી ભરૂચ વચ્ચેના રોડ પરથી મળી આવેલ છે. અને આણંદનો હોવાનું જણાવી રહ્યો છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે આ જ કીવર્ડ સાથે જૂદા-જૂદા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર સર્ચ કરતા અમને આ જ ફોટો સાથે ગત ઓક્ટોબર મહિનાથી વાયરલ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Rachakonda police દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2019ના તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ફોટોમાં દેખાતા બાળકનું નામ મોહિત છે. જે ચાર વર્ષનો હોવાનું જણાવી રહ્યો છે. તેમજ નેરેડમેટની ડિફેન્સ કોલોની પાસેથી તે મળી આવ્યો છે. જો કોઈ વ્યક્તિને આ બાળક અંગેની માહિતી હોય તો નેરેડમેટ પોલીસનો સંપર્ક સાધવા જણવવામાં આવ્યુ હતુ.” જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે બાળકનો ફોટો શેર કરવામાં આવેલો છે તે દયાદરા થી ભરૂચ વચ્ચેના રોડ પરથી નથી મળી આવ્યો…
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે બાળકનો ફોટો શેર કરવામાં આવ્યો છે. તે તેલંગણાના નેરેડમેટની ડિફેન્સ કોલોની પાસેથી ગત જાન્યુઆરી મહિનામાં મળી આવ્યો હતો.

Title:શું ખરેખર આ બાળક દયાદરા ભરૂચ રોડ પરથી મળી આવેલ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
