શું હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગનો આ વીડિયો છે…?જાણો શું છે સત્ય….
ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. હોળીની મોસમ દરમિયાન મથુરામાં થયેલી નાસભાગનો આ જૂનો વીડિયો છે.
તાજેતરમાં હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગની એક વિનાશક ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આ પૃષ્ઠભૂમિમાં, ભીડના ભાગદોડનો ભોગ બનતા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાથરસની તાજેતરની નાસભાગની ઘટનાનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાથરસની તાજેતરની નાસભાગની ઘટનાનો છે.”
Instagram | In post Archive | In video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 17 માર્ચ 2024 ના રોજ એક યુઝર્સ દ્વારા ટ્વિટ કરાવામાં આવેલો સમાન વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ મથુરા મંદિરમાં હોળી પહેલાના કાર્યક્રમમાં નાસભાગની ઘટના છે.
સંબંધિત કીવર્ડ સર્ચ કરતા અમને 17 માર્ચ 2024ના રોજ NDTVનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, હોળી પૂર્વેના કાર્યક્રમ દરમિયાન મથુરાના શ્રીજી મંદિરમાં નાસભાગની ઘટના બની હતી. ઘણા લોકો ઘાયલ થયા અને કેટલાક બેભાન થઈ ગયા.
ઘટનાનો વીડિયો નીચે જોઈ શકાય છે.
અન્ય એક અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીજી મંદિરમાં થયેલી ભાગદોડનો ભોગ બન્યા બાદ છ લોકો બેભાન થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના લાડુ હોળીની ઉજવણી દરમિયાન બની હતી. નાસભાગમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે ઘણા શ્રદ્ધાળુઓ કચડાઈ ગયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં હાથરસમાં બનેલી ઘટનાનો વીડિયો નથી. પરંતુ મથુરામાં હોળીના તહેવાર દરમિયાન થયેલી નાશભાગનો વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગનો આ વીડિયો છે...?જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: Misleading