શું ખરેખર રાજસ્થાનના જાલોરમાં રેસક્યુ કરવામાં આવ્યુ તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વીડિયો 2021નો છે જ્યારે IAFએ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રવતી નદીના વધતા પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ કરવામાં આવી રહ્યુ હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવમાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના જાલોરમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર દરમિયાન કરવામાં આવેલા રેસક્યુનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Priyanka Tripathi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનના જાલોરમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર દરમિયાન કરવામાં આવેલા રેસક્યુનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

Facebook | Facebook | Facebook | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમ અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 20 નવેમ્બર 2021ના રોજ પ્રકાશિત થયેલા સમાન વીડિયો તરફ દોરી ગયા. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, “કડપા અન્નમાયા પ્રોજેક્ટ પડી ભાંગ્યો, હેલિકોપ્ટર દ્વારા બચાવ, અર્ધસૈનિક પહોંચી. આનાથી 12 ગામોને અસર થઈ છે.” 

આ ક્લુના આધારે અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ ચલાવ્યું જેના પરિણામો અમને NDTV, હિન્દુસ્તાન ટાઈમ્સ, કલિંગા ટીવી દ્વારા 19 નવેમ્બર 2021ના રોજ પ્રકાશિત એક સમાચાર અહેવાલ તરફ દોરી ગયા. અહેવાલ મુજબ, ભારતીય વાયુસેનાએ એક સાહસિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ બાદ ફસાયેલા દસ લોકોના જીવ બચાવ્યા હતા.

ભારતીય વાયુસેના દ્વારા એક ટ્વિટર પોસ્ટ બચાવ કામગીરી દર્શાવે છે. કેપ્શનમાં લખ્યું છે, “આજે, IAF Mi-17 હેલિકોપ્ટરે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રવતી નદીના વધતા પાણીમાં અટવાયેલા દસ લોકોને મુશ્કેલ હવામાનમાં બહાર કાઢ્યા.”

આંધ્ર પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (APSRTC)ની ત્રણ બસો શુક્રવારે કડપા જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ફસાઈ જતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 18 લોકો ગુમ થઈ ગયાં હતાં.

બચાવ કાર્યકરોએ 12 મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને રાજમપેટ વિસ્તારમાં ગુમ થયેલા લોકોને શોધી રહ્યા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો વર્ષ 2021નો છે જ્યારે IAF એ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રવતી નદીમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર રાજસ્થાનના જાલોરમાં રેસક્યુ કરવામાં આવ્યુ તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False