શું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

Altered રાષ્ટ્રીય I National સામાજિક I Social

દૈનિક ભાસ્કરના નામે એક હોર્ડિંગનો ફોટો સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે – “ન તો આશ્રમના મહંત, ન ફેકુ સંત. હવે ફક્ત સત્ય જ કામ કરશે, યુપીમાં સમાચારો દબાવવામાં આવશે નહીં, કે બંધ નહીં થાય.” આ પોસ્ટરને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશમાં દૈનિક ભાસ્કર ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતિ તદ્દન ખોટી છે. ભાસ્કર ગ્રુપ દ્વારા આ પ્રકારે કોઈ હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા નથી. ભાસ્કરના હોર્ડિગ્સમાં એડિંટીગ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહ્યી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ultraschool Siddiqui નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશમાં દૈનિક ભાસ્કર ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝ નેશનનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ઓરિજનલ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “આ ફોટો દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં એક હોર્ડિંગનો છે. આ હોર્ડિંગ દીપક મદન નામના વ્યક્તિએ 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલા મૂક્યુ હતો. આ ફોટો વેબસાઇટ પર 4 જાન્યુઆરી, 2020ના રોજ પ્રકાશિત થયો હતો.

Newsnation | Archive 

વાયરલ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેની તુલાના કરી જાણી શકાય છે રે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં એડિટેડ કરવામાં આવ્યુ છે. અને તે ફેક છે. અમારા દ્વારા કરવામાં આવેલી તુલના તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમદાવાદ ભાસ્કર ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “વર્ષ 2017માં દૈનિક ભાસ્કરે યુપીમાં ઘણી જગ્યાએ વેબસાઇટની જાહેરાત માટે હોર્ડિંગ્સ લગાવ્યા હતા. આ હોર્ડિંગ પર લખ્યું હતું, ‘ન તો માયાની જાળ, ન તો અખિલેશનું દુ:ખ યુપીમાં, સમાચાર દબાવવામાં આવશે નહીં, અથવા તે બંધ થશે નહીં. દૈનિકભાસ્કર.કોમ પર લોગ ઇન કરો.’ વાયરલ ફોટામાં મૂળ ફોટોની ઉપર લખેલી લાઇને દૂર કરીને દેવામાં આવી છે.” તેમણે અમને વર્ષ 2017માં લગાવેલા એક હોર્ડિંગ્સની ફોટો પણ અમને મોકલાવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતિ તદ્દન ખોટી છે. ભાસ્કર ગ્રુપ દ્વારા આ પ્રકારે કોઈ હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા નથી. ભાસ્કરના હોર્ડિગ્સમાં એડિંટીગ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહ્યી છે.

Avatar

Title:શું ખરેખર ભાસ્કર ગ્રુપ દ્વારા રસ્તા પર આ પ્રકારે હોડિંગ્સ લગાવવામાં આવ્યા…?

Fact Check By: Yogesh Karia 

Result: Altered