શું ખરેખર મોદીએ એવું કહ્યું કે, મારે ફક્ત સવર્ણોના મતની જરૂર છે...? જાણો સત્ય
ઐયુબ પોપટ નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોમવાદી ભાજપ ભગાવો દેશ બચાવો. જયારે પોસ્ટની અંદર એવું લખેલું છે કે, મારે સવર્ણોના વોટ જોઈએ. ઓબીસી, દલિત અને પછાતના વોટ નથી જોઈતા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 261 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને 38 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, મોદીએ જાન્યુઆરી 2019 માં મહારાષ્ટ્રના સોલાપુર ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું તે સમયનો આ ફોટો છે.
આ અંગેની અમારી વધુ તપાસમાં અમને મોદીએ સોલાપુર ખાતે જે સભા કરી હતી તેનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરના સંપૂર્ણ વીડિયોને અમે ધ્યાનથી સાંભળ્યો તો અમને ક્યાંય પણ મોદી પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બોલ્યા હોય એવું કોઈ નિવેદન કે માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. એટલે કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને પણ ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે અને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ત્યાર બાદ અમે નરેન્દ્ર મોદીના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર પણ આ માહિતી શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને આવી કોઈ માહિતી મળી ન હતી.
ત્યાર બાદ અમે અમારા ડિઝાઈનના નિષ્ણાતને આ અંગે વાત કરી તો તેમણે અમને જણાવ્યું હતું કે, “આ ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને મૂકવામાં આવ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર મોદીએ એવું કહ્યું કે, મારે ફક્ત સવર્ણોના મતની જરૂર છે...? જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False