
ગુજરાતમાં આવતા થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં રાજકિય પાર્ટીઓ દ્વારા એકબીજાને ટાર્ગેટ કરીને મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એખ ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે કટિંગ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરમાં ભાજપાના નેતા 5 ટ્રકોમાં ગૌવંશ ભરી લઈ જતા પકડાયા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ન્યુઝ પેપરનું કટિંગ હાલનું નહિં પરંતુ ચાર વર્ષ પહેલાનું છે. જેને ખોટા દાવા સાથે હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Firozkhan Pathan Khan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરમાં ભાજપાના નેતા 5 ટ્રકોમાં ગૌવંશ ભરી લઈ જતા પકડાયા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના વર્ષ 2018માં બનવા પામી હતી. જે સમાચારને દિવ્યભાસ્કર અને મેરાન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

મેરાન્યુઝના આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતિપર ગામમાં બનવા પામી હતી. જેમાં મુખ્યનામ ગણેશભાઈ મુંગરાનું આવ્યુ હતુ. જે ભાજપ સાથે જોડાયેલા છે.

તેમજ અમારી પડતાલને અમે મજબૂત કરવા જામનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ઘટના હાલમાં જામનગરમાં બનવા પામી નથી. લોકો દ્વારા આ અંગે ખોટી માહિતી પહોચાડવામાં આવી રહી છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ન્યુઝ પેપરનું કટિંગ હાલનું નહિં પરંતુ ચાર વર્ષ પહેલાનું છે. જેને ખોટા દાવા સાથે હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ છે.

Title:શું ખરેખર ગૌવંશના 5 ટ્રકો સાથે ભાજપાના નેતા ઝડપાયા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
