શું ખરેખર પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલ નો પાકિસ્તાનનો નહીં પરંતુ મ્યાનમારમાં માર્ચ મહિનામાં આવેલા ભૂકંપ દરમિયાનનો છે જેમાં એક મસ્જિદ નષ્ટ થઈ ગઈ હતી.

ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનની અંદર ઘુસી અને એર સ્ટ્રાઈક કરી હતી. આ વચ્ચે પાકિસ્તાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં ઘણા લોકો કાટમાળને હટાવી રહ્યા છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની આ હાલત થઈ ગઈ છે જેના દ્રશ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની આ હાલત થઈ ગઈ છે જેના દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટ્વિટર પર આ વીડિયો 28 માર્ચ 2025ના પ્રાપ્ત થયો હતો જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મ્યાનમારમાં ભયાનક ઘટનાઓ ભૂકંપમાં બીજી મસ્જિદ ધરાશાયી થઈ, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે રમઝાનના છેલ્લા શુક્રવારે સેંકડો મુસ્લિમો મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા.” 

તેમજ વધુ સર્ચ કરતા અમને એબીપીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 28 માર્ચ 2025ના પ્રસારિત કરવામાં આવ્યો હતો જે અહેવાલમાં વાયરલ વીડિયોના દ્રશ્યો હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શુક્રવારે (28 માર્ચ) મ્યાનમારમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે મ્યાનમારમાં મંડલે મસ્જિદમાં 20 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપના તીવ્ર આંચકાને કારણે મ્યાનમારના મંડલેમાં એક મસ્જિદ સંપૂર્ણપણે નાશ પામી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મસ્જિદની અંદર ઘણા લોકો હાજર હતા.” 

Archive

તેમજ લાઈવ હિન્દુસ્તાન અને નવભારત ટાઈમ્સ દ્વારા પણ આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલ નો પાકિસ્તાનનો નહીં પરંતુ મ્યાનમારમાં માર્ચ મહિનામાં આવેલા ભૂકંપ દરમિયાનનો છે જેમાં એક મસ્જિદ નષ્ટ થઈ ગઈ હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False