શું ખરેખર બેંકમાં રૂપિયા ઉપાડવા અને જમા કરવા પર ચાર્જ લાગશે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે, જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, બેંકમાં ચોથી વખત રૂપિયા જમા કરાવશો તો 40 રૂપિયા અને ઉપાડશો તો પણ 100 રૂપિયા ચાર્જ વસુલ કરશે, જે નિયમ બેંક ઓફ બરોડા દ્વારા નવેમ્બર મહિનાથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ પ્રકારે કોઈ ચાર્જ વસુલવાનું બેંકો દ્વારા નક્કી કરવામાં નથી આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Upesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બેંકો દ્વારા રૂપિયા જમા કરવવા અને ઉપાડવા પર ચાર્જ વસુલવામાં આવશે, બેંક ઓફ બરોડ દ્વારા નવેમ્બર મહિનાથી તેની અમલવારી કરવામાં આવી રહી.”

Facebook | Fb Post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો બેંકો દ્વારા આ પ્રમાણે કોઈ ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યા હોય તો આરબીઆઈને જાણ કરીને જ કર્યા હોય તેથી અમે સૌપ્રથમ આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ, ઓફિશિયલ ટ્વિટરની મુલાકાત લીધી હતી. 

પરંતુ અમને એક પણ જગ્યાએ આરબીઆઈ દ્વારા આ પ્રકારે ચાર્જને લઈ કોઈ નોટિફિકેશન બહાર પાડ્યુ હોય કે કોઈ સુચના બેંકને આપી હોવાનું પ્રાપ્ત થયુ ન હતુ. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને બેંક ઓફ બરોડની ઓફિશિયલ વેબસાઈટ અને ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લીધી હતી.

અમને બેંક ઓફ બરોડાની વેબસાઈટ કે ટ્વટિર પણ આ પ્રકારે કોઈ નવા નિયમ લાગુ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતુ. તેમજ બેંક ઓફ બરોડા દ્વારા 1 જૂલાઈ 2020ના તેમના ચાર્જિસમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં પણ પોસ્ટમાં જણાવવામાં આવેલા મુજબના ચાર્જિસનો કોઈ ઉલ્લેખ નથી. જે તમે નીચે જોઈ શકો છો.

247_1_webmaster-chart-revision-of-basic-service-charges-wef-01-07-2020

ત્યારબાદ આ અંગે વધુ સર્ચ કરતા અમને પીઆઈબી દ્વારા આ અંગે ખુલાસો કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, બેંકો દ્વારા આ પ્રકારે ચાર્જ વધારવા અંગેનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. તેમના દ્વારા તેમના ઓફિશિયલ પીઆઈબી ફેકચેક એકાઉન્ટ પરથી આ અંગે ટ્વિટ કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ બેંક ઓફ બરોડા અંગે પણ ખુલાસો કરતા પીઆઈબી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “બેંક ઓફ બરોડા દ્વારા પણ સુચિત કરવામાં આવ્યુ હતુ કે, રૂપિયા જમા કરવવા અને ઉપાડવા પર કોઈ ચાર્જ વધારવામાં નથી આવ્યો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બેંકો દ્વારા રૂપિયા જમા કરવવા અને ઉપાડવા પર કોઈ ચાર્જ વધારવામાં નથી આવ્યો. જેની સ્પષ્ટતા પીઆઈબી દ્વારા પણ કરવામાં આવી છે.  

Avatar

Title:શું ખરેખર બેંકમાં રૂપિયા ઉપાડવા અને જમા કરવા પર ચાર્જ લાગશે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False