શું ખરેખર અજીત અગરકરની મુખ્ય પંસદગીકાર માંથી હકાલ પટ્ટી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False Sports રાષ્ટ્રીય I National

આ એક અફવા છે. અજીત અગરકર હાલમાં પણ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર જ છે. તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ક્રિકેટની દુનિયામાંથી આવી રહ્યો છે. જેને લઈ મીડિયા સંસ્થાનો દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીસીસીઆઈ દ્વારા મુખ્ય સિલેક્ટર પદ પરથી અજીત અગરકરની હકાલપટ્ટી કરવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બીસીસીઆઈ દ્વારા મુખ્ય સિલેક્ટર પદ પરથી અજીત અગરકરની હકાલપટ્ટી કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb article archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ પરંતુ અજીત અગરકરને હટાવવામાં આવ્યા હોવાના કોઈ સમાચાર અમને પ્રાપ્ત થયા ન હતા. 

તેથી અમે બીસીસીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર સર્ચ કરતા અમને અજીત અગરકરને લઈ 4 જૂલાઈ 2023નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમા તેમની નિયુક્તીને લઈ માહિતી આપવામાં આવી હતી પરંતુ તેમને હટાવવામાં આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. 

BCCI

તેમજ વધુ સર્ચ કરતા અમને WIONNEWS દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ પર વરિષ્ઠ પુરૂષ ટીમ માટે એક રાષ્ટ્રીય પસંદગીકારની પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. ભારતના ભૂતપૂર્વ સીમર અજીત અગરકર (વેસ્ટ ઝોનમાંથી)પાંચ સભ્યોની પસંદગી ટીમનું નેતૃત્વ કરે છે. 

WIONEWS | ARCHIVE

અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાત ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ મનીષ શાહનો સંપ્રર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, અજાત અગરકરને હટાવવામાં આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અજીત અગરકર હાલમાં પણ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સિલેક્ટર જ છે. તેમજ નવા સિલેક્ટરની ભર્તીની પેનલ ટીમનું પણ તે જ નેતૃત્વ કરી રહ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર અજીત અગરકરની મુખ્ય પંસદગીકાર માંથી હકાલ પટ્ટી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False