CJI ચંદ્રચુડના નિવેદનના નામે ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે લોકોને તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના નામે જે નિવેદન વાયરલ થઈ રહ્યું છે તેને સુપ્રીમ કોર્ટ દ્વારા એક પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા ખોટું અને ફેક હોવાનું જણાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના ખોટા અને ફેક નિવેદનને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યું છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 16 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ 👇👇. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ દેશમાં સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે લોકોને તાનાશાહી સરકારનો વિરોધ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં આપવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આપવામાં આપેલા નિવેદનની કોઈ જ માહિતી કે કોઈ સમાચાર પ્રાપ્ત થયા ન હતા. જે પુષ્ટિ કરે છે કે, ચંદ્રચુડ દ્વારા વાયરલ થઈ રહેલા નિવેદન સાથે મેળ ખાતું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જો સીજેઆઈએ આવું નિવેદન આપ્યું હોત તો તે ચોક્કસપણે સમાચારોની હેડલાઈન્સમાં હોત.

તપાસને આગળ વધારતાં અમે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના કાર્યાલયનો સંપર્ક કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ‘વાયરલ થઈ રહેલા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આ મામલે ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડવામાં આવી છે.’

તમે નીચે આ પ્રેસ રિલીઝ જોઈ શકો છો. તેમાં લખ્યું છે કે, “ભારતની સર્વોચ્ચ અદાલતના ધ્યાનમાં આવ્યું છે કે, ભારતના મુખ્ય ન્યાયાધીશના સંદર્ભમાં તેમના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને એક નકલી નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વાયરલ પોસ્ટ નકલી, ખરાબ ઈરાદાવાળી અને એક મજાક છે. તેમના દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ પોસ્ટ અંગે કાર્યવાહી કરવામાં આવશે.”

આ ઉપરાંત લાઈવ લો, ધ વાયર, ઈટીવી ભારત અને ઈન્ડિયા ટુડે જેવા ઘણા મીડિયા રિપોર્ટ્સ દ્વારા પણ આ પ્રેસ રિલીઝ પ્રકાશિત કરવામાં આવી છે. લો ટુડે સાથે એક્સક્લુસીવ રીતે વાત કરતાં સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, “તે એક બોગસ ફોરવર્ડ છે. કોઈ પણ CJI ક્યારેય આવું કામ નહીં કરે, CJI ચંદ્રચુડ જેવો મહાન માણસ તો ક્યારેય પણ નહીં. માનનીયના નામે આવા ગંભીર દુષ્કર્મ માટે પગલાં લેવા જોઈએ અને લેવામાં આવશે.

 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના નામે જે નિવેદન વાયરલ થઈ રહ્યું છે તેને સુપ્રીમ કોર્ટ દ્વારા એક પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા ખોટું અને ફેક હોવાનું જણાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના ખોટા અને ફેક નિવેદનને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યું છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:CJI ચંદ્રચુડના નિવેદનના નામે ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False