Fake Check: જામનગરના લાલપુર ગામ પાસેથી 4 બાળકોનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યુ હોવાના મેસેજનું સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે બાળકોનું કિડનેપ થયુ નથી, તેમજ લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે.

હાલમાં એક મેસેજ જામનગર જિલ્લાના સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં જણાવવામાં આવ્યુ છે કે, ફટાફટ બધાજ વોટ્સએપ ગ્રુપ માં સેન્ડ કરજો એક ઇકો વ્હાઈટ કલર ગાડી છે જેમાં સ્કૂલ ના 4 વિદ્યાર્થી ને કીડનેપ કરેલ છે 2 વિદ્યાર્થી ઇકો ની પાછળની ડેકીમાં બાધેલ છે અને 2 વિદ્યાર્થી વચ્ચેની સીટ માં બાધેલા છે અને લાલપુર અને કોટડા 3રસ્તા વચ્ચે ગાયબ થયેલ છે માટે બધીજ ઇકો ગાડી મહેરબાની કરીને ચેક કરીને જવા દેજો આટલું જરૂર કરજો 4 બાળકો માટે આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગર જિલ્લાના લાલપુર નજીકથી ઇકો કારમાં 4 બાળકોનું અપહરણ કરવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sagar s Barad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગર જિલ્લાના લાલપુર નજીકથી ઇકો કારમાં 4 બાળકોનું અપહરણ કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ મેસેજ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ અમને આ પ્રકારે કોઈ ઘટના જામનગર જિલ્લામાં બની હોવાનું જાણવા મળ્યુ ન હતુ. 

ત્યારબાદ અમે ગુજરાત સરકારની ઈએફઆઈઆર વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ છેલ્લા એક મહિનામાં આ પ્રકારે બાળકના અપહરણની કોઈ ફરિયાદ નોંધાય જ નથી.  

ત્યારબાદ અમે અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જામનગર લાલપુરમાં તો નહિં પરંતુ સમગ્ર જિલ્લામાં આ પ્રકારે કોઈ ઘટના બનવા પામી નથી, આ મેસેજ ફેલાવનારની શોધ ચાલુ છે. આ તદ્દન ખોટો મેસેજ છે. જેનાથી લોકોએ દૂર રહેવા વિંનતી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ઘટના જામનગર જિલ્લામાં બનવા પામી નથી. જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Check: જામનગરના લાલપુર ગામ પાસેથી 4 બાળકોનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યુ હોવાના મેસેજનું સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False