આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી નથી, આ ઇન્ડોનેશિયાના મંદિરની છે…. જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

વાસ્તવમાં આ મૂર્તિ ઈન્ડોનેશિયાના એક હિન્દુ મંદિરની છે. આ પ્રતિમા તુર્કી-સીરિયાની સરહદ નજીક ખોદકામમાં મળી નથી.

હાલમાં એક પ્રતિમાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં હિન્દુ દેવતા નરસિંહ જેવી મૂર્તિ જોઈ શકાય છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી આવી હતી.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Upen Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી આવી હતી.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા આ ચિત્રની ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. દરમિયાન અમને આ ફોટો virtourist.com નામની ટ્રાવેલ વેબસાઇટ પર મળ્યો છે. તસવીર સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ તસવીર બાલીના કુટા બીચ પાસે આવેલા મંદિરની પ્રતિમાની છે.” 

Virtourist.com | Archive

કીવર્ડ્સ અને કીફ્રેમ્સ સાથે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર, અમને આ ચિત્ર ગૂગલ મેપ્સ પર બીજા એંગલથી પણ મળ્યું. આ તસવીર સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તસવીર ઇન્ડોનેશિયાના બાલીમાં સ્થિત પુરા ડાલેમ અને પુરા પેનાતરન દેસા અદત કુટા મંદિરની છે.

કીવર્ડ શોધમાં “દક્ષિણ-પૂર્વ તુર્કીમાં ખોદકામ કરાયેલ આઇકોનોક્લાઝમ દરમિયાન આંશિક રીતે નાશ પામેલી 3,000 વર્ષ જૂની પ્રચંડ પ્રતિમા મળી. એવું માનવામાં આવે છે કે તે ક્યાં તો લોહ યુગની દેવી અથવા રાજકીય નેતાની પ્રતિમા છે. આ મૂર્તિ કોઈપણ રીતે વાયરલ પોસ્ટમાંની મુર્તિને મળતી નથી.

ન્યુઝવિક 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાસ્તવમાં આ મૂર્તિ ઈન્ડોનેશિયાના એક હિન્દુ મંદિરની છે. આ પ્રતિમા તુર્કી-સીરિયાની સરહદ નજીક ખોદકામમાં મળી નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી નથી, આ ઇન્ડોનેશિયાના મંદિરની છે…. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False