શું ખરેખર કારની ખરિદિ પર સરકાર દ્વારા 50 ટકાની રાહત આપવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય….

Satire રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં અબતક ન્યુઝ મિડિયાનો એક અહેવાલ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અબતક ન્યુઝ એ સૌરાષ્ટ્રનું પ્રતિષ્ઠિત મિડિયા હાઉસ છે. તેમની ન્યુઝ વેબસાઈટ પર પ્રસારિત એક અહેવાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો થે કે, “મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા કાર ખરિદનારને 50 ટકા સુધીની રાહત આપવામાં આવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ આર્ટિકલ મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના બહાર પાડવામાં નથી આવી, આ એક માત્ર અફવા છે. અબતક ન્યુઝ દ્વારા એપ્રિલફુલ મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને લોકોએ સત્ય સમજ્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Abtak Media નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા કાર ખરિદનારને 50 ટકા સુધીની રાહત આપવામાં આવી છે.”

Facebook | Fb post Archive | Fb Article Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈપણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હોય તો સ્થાનિક મિડિયાની સાથે દેશના તમામ મિડિયા હાઉસ દ્વારા તે અંગે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા જ હોય.

તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ, પરંતુ અમને અબતક ન્યુઝ સિવાય અન્ય કોઈ મિડિયા સંસ્થાનો આ અંગે અહેવાલ પ્રાપ્ત થયો ન હતો. 

તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગુજરાતની સીએમઓ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. ત્યા હાજર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. સરકાર દ્વારા આ પ્રકારે કોઈ ઓફર બહાર પાડવામાં નથી આવી, લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને અબતક ન્યુઝનો તારીખ 2 એપ્રિલ 2021નો વધુ એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અબતક ન્યુઝ દ્વારા એપ્રિલફુલ મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના આ મેસેજના કારણે લોકો શોરૂમ પર પહોંચી ગયા હતા. ત્યાં આ સ્કિમ અંગે પુછતા તેમને કોઈ લાભ ન મળતા અબતક ન્યુઝના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. જો કે, તેમણે પણ જણાવ્યુ હતુ કે આ એક એપ્રિલફુલ મેસેજ છે.

અબતક ન્યુઝ | સંગ્રહ 

આમ, અબતક ન્યુઝ દ્વારા એપ્રિલ ફુલ મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પરંતુ લોકો તેને સત્ય સમજી બેઠા હતા અને પરેશાન થયા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ આર્ટિકલ મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના બહાર પાડવામાં નથી આવી, આ એક માત્ર અફવા છે. અબતક ન્યુઝ દ્વારા એપ્રિલફુલ મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને લોકોએ સત્ય સમજ્યો હતો.

Avatar

Title:શું ખરેખર કારની ખરિદિ પર સરકાર દ્વારા 50 ટકાની રાહત આપવામાં આવી રહી છે….?

Fact Check By: Yogesh Karia 

Result: Satire