
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કપિલ મિશ્રા નો ભાજપ પર હુમલો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 155 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કપિલ મિશ્રા ભાજપા વિરૂધ્ધમાં ટ્વિટ કરવામાં આવ્યુ”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “भाजपा सरकार में देश द्रोह के मुकदमे से बचना है तो दाऊद से दोस्ती जरुरी है | कपिल मिश्रा” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને કપિલ મિશ્રા દ્વારા તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તારીખ 6 એપ્રિલ 2016ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
વર્ષ 2016માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ખૂબ જ સક્રિય હતુ અને તે સમયે પાટીદાર નેતા હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. તે સમયે આ ભાજપા સરકાર પર કટાક્ષ કરતા આ ટ્વિટ કરવામાં આવ્યુ હતુ. તેમજ આમ આદમી પાર્ટી છોડીને કપિલ મિશ્રા 17 ઓગસ્ટ 2019ના ભાજપામાં જોડાયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

17 ઓગસ્ટ 2019 બાદ અમે કપિલ મિશ્રાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લિધી હતી. પરંતુ તેમણે આ પ્રકારે કોઈ ટ્વિટ કર્યુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ.
પરિણામ
આમ. ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ટ્વિટ કપિલ મિશ્રા દ્વારા હાલમાં નહિં પરંતુ વર્ષ 2016મા કરવામાં આવ્યુ હતુ. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ ટ્વિટ હાલમાં શેર કરવામાં આવી રહ્યુ છે.

Title:શું ખરેખર કપિલ મિશ્રા દ્વારા હાલમાં ભાજપા વિરૂધ્ધમાં ટ્વિટ કર્યુ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
