શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સાધુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરતાની સાથે જાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાનનો છે. હાલનો હરિદ્વારનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Smit Rakholiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો પ્રયાગરાજનો વર્ષ 2019નો છે. કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યુ હતુ તેનો આ ફોટો છે. 

હિન્દુસ્તાન ટાઈમ્સ | સંગ્રહ

દુરદર્શન ન્યુઝ દ્વારા પણ આ ફોટો શેર કરી અને વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો હતો.

તેમજ વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળાની ઓફિશિયલ વેબસાઈટ પર સોશિયલ મિડિયા વિભાગમાં અમને આ ફોટો પ્રાપ્ત હતો. જે મનોજ ગોઈન્કા નામના ટ્વિટર યુઝર દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ થોડો સમય પહેલા અન્ય એક ફોટો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. જે પણ વર્ષ 2019નો હતો અને તેને પણ હાલનો ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યો હતો. જેની પડતાલ પણ ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળા દરમિયાનનો છે. હાલનો હરિદ્વારનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False