પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. આ પ્રકારે કોઈ લખાણ સ્મશાનની દિવાલ પર લખવામાં આવ્યુ નથી.

જેમ-જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતમાં પગ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા અરવિંદ કેજરીવાલની પાર્ટીને પણ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. હાલમાં એક ફોટો વાયરલ થાય છે, જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે. કે, “આમ આદમી પાર્ટી દ્વારા સ્મશાનની દિવાલને પણ નથી મુકવામાં અને સ્મશાનની દિવાલ પર પણ બોર્ડ પેઈન્ટ કરવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટી દ્વારા સ્મશાનની દિવાલને પણ નથી મુકવામાં અને સ્મશાનની દિવાલ પર પણ બોર્ડ પેઈન્ટ કરવામાં આવ્યુ.”

FACT CHECK
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં એક વ્યક્તિને આ દિવાલ નજીક હાથ રાખેલો પણ જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સ્મશાનનો ઓરિજનલ ફોટો પણ મંગાવ્યો હતો. જેમાં તમે જોઈ શકો છો કે દિવાલ પર કોઈ લખાણ નથી.


તમે વાયરલ ફોટો અને ઓરિજનલ વચ્ચેની સમાનતા નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. સ્મશાનની દિવાલ પર કોઈ લખાણ લખવામાં આવ્યુ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સ્મશાનની દિવાલ પર આમ આદમી પાર્ટી દ્વારા કોઈ લખાણ નથી લખવામાં આવ્યુ…
Fact Check By: Frany KariaResult: False
