
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રાલયના વરિષ્ટ ઈન્વેષ્ટિગેશન ઓફિસર વિશ્વજીત મુખર્જીના નામે એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shailesh R Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 1 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને જુદા-જુદા કીવર્ડથી ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ભારતના ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ mha.gov.in પર પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતીને શોધવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમે રક્ષા મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ mod.gov.in પર પણ આ માહિતીને શોધવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા 3 નવેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ખોટી ગણાવવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ઠેરવવામાં આવી છે.

Title:ચીન દ્વારા ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડામાં કાર્બન મોનોક્સાઈડ ગેસ ભરવામાં આવ્યો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
