Karnataka: શિમોગાની સરકારી કોલેજમાં ત્રિરંગો હટાવી ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી…

રાષ્ટ્રીય I National સામાજિક I Social

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવાનો મામલો ગરમાયો છે. હિજાબ વિવાદને કારણે મંગળવારે રાજ્યના વિવિધ શહેરોમાં હિંસા પણ શરૂ થઈ હતી. શિમોગા શહેરની સરકારી કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ પોલ પર ભગવો ધ્વજ ફરકાવતા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિદ્યાર્થીઓએ કોલેજમાં ત્રિરંગો ઝંડો ઉતારીને ભગવો ઝંડો ફરકાવ્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોલ પહેલેથી જ ખાલી હતો જેના પર પ્રદર્શનકારીઓએ ભગવા ઝંડો લહેરાવ્યો હતો. એટલા માટે ત્રિરંગો ઉતારી લેવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 08 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિદ્યાર્થીઓએ કોલેજમાં ત્રિરંગો ઝંડો ઉતારીને ભગવો ઝંડો ફરકાવ્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ ફેક્ટ ક્રેસેન્ડોએ આ વિડિયો વિશે વધુ જાણવા માટે શિમોગાની સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજના પ્રિન્સિપાલ ધનંજય બીઆરનો સંપર્ક કર્યો હતો. તે સમયે તે સ્થળ પર હાજર હતા.

તેમણે કહ્યું કે જ્યારે આ વિદ્યાર્થીઓ ભગવો ધ્વજ ફરકાવવા માટે પોલ પર ચઢી રહ્યા હતા ત્યારે ત્રિરંગો ધ્વજ પોલ પર ન હતો. તે પોલ ખાલી હતો. વિદ્યાર્થીઓએ ભગવો ધ્વજ લહેરાવા માટે રાષ્ટ્રધ્વજને નીચે ઉતાર્યો ન હતો.

તેણે ફેક્ટ ક્રેસેન્ડો સાથે ભગવો ધ્વજ ફરકાવતા પહેલાની એક તસવીર પણ શેર કરી છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે થાંભલા પર ત્રિરંગો ન હતો.

વધુ હકીકત જાણવા ફેક્ટ ક્રેસેન્ડોએ શિમોગાના પોલીસ અધિક્ષક બી.એમ. લક્ષ્મી પ્રસાદ સાથે વાતચીત કરી હતી જેમા તેમણે કહ્યું કે, “રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભગવા ધ્વજ લગાવવામાં આવ્યો નથી. ભગવો ધ્વજ ફરકાવ્યા બાદ પ્રદર્શનકારીઓને તેને હટાવવા માટે પણ કહેવામાં આવ્યું હતુ.”

પોલીસ અધિક્ષક લક્ષ્મી પ્રસાદે ANIને આ અંગે સ્પષ્ટતા પણ આપી હતી.

ટાઈમ્સ નાઉ ચેનલના બેંગલુરૂના પ્રતિનિધિ દિપક બોપન્નાએ અમને માહિતી આપી હતી કે, “26 જાન્યુઆરી પછી જ કોલેજમાં રાષ્ટ્રધ્વજ હટાવી દેવામાં આવ્યો હતો અને ત્યારથી પોલ ખાલી હતો. મંગળવારે ભગવો લહેરાવવા વિદ્યાર્થીઓ આ ખાલી પોલ પર ચઢયા હતા અને ત્યાં ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. પોલ પરથી તિરંગો ઉતારવાની વાત સાવ ખોટી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલા વિડિયો દ્વારા કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. પોલ પહેલેથી જ ખાલી હતો જેના પર પ્રદર્શનકારીઓએ ભગવા ઝંડો લહેરાવ્યો હતો. એટલા માટે ત્રિરંગો ઉતારી લેવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:Karnataka: શિમોગાની સરકારી કોલેજમાં ત્રિરંગો હટાવી ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી…

Fact Check By: Yogesh Karia 

Result: False