સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે.

સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મનમોહન સિંઘ એક ખુરશી પર બેસેલા જોઈ શકાય છે. બાદમાં સોનિયા ગાંધી આવતા ગાર્ડ દ્વારા મનમોહન સિંઘને બાજુની ખુરશી પર બેસવાનું કહે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સોનિયા ગાંધી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું અપમાન કરવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Chuntli Express – ચૂંટલી એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સોનિયા ગાંધી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું અપમાન કરવામાં આવ્યુ.”
Facebook | Fb post Archive | Fb Video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયા ટીવી દ્વારા પ્રકાશિત વર્ષ 2011નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર યુપીએની બેઠક દરમિયાન સોનિયા ગાંધીની સિક્યુરિટી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) દ્વારા મનમોહન સિંઘને ફાળવેલી સૌપ્રથમ સોનિયા ગાંધી બેઠા હતા. “જ્યારે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓએ આની જાણ કરી, ત્યારે તેઓએ સૌપ્રથમ સોનિયા ગાંધીને સીટ ખાલી કરવા વિંનતી કરી હતી અને બાદમાં તત્કાલિન પીએમ મનમોહન સિંઘને સોનિયા ગાંધીની ખુરશી ખાલી કરવા વિનંતી કરી હતી. જે બાદ બંને તેમને નિયત કરેલી ખુરશી પર બેસી ગયા હતા.”
એસપીજીએ એક ચુનંદા ગ્રુપ છે જે વડાપ્રધાન, પૂર્વ પીએમ અને તેમના પરિવારના સભ્યોને સુરક્ષા પૂરી પાડે છે. એસપીજી પ્રોટોકોલ મુજબ, સંરક્ષિત વ્યક્તિઓએ તેમની નિયુક્ત બેઠકો પર બેસવું પડે છે, તેથી જ સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:સોનિયા ગાંધી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું અપમાન કરવામાં આવ્યુ ન હતુ… જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
