શું ખરેખર વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ અનુષ્કા સાથે મંદિર પહોચ્યો હતો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વિરાટ કોહલીનો આ વીડિયો દિલ્હીના મંદિરનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાળ મંદિરનો છે. હાલમાં દિલ્હીમાં દર્શન કરવા ગયો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન પહેલી મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે મેદાન પર થયેલા ઝઘડાના કારણે વિરાટ કોહલી સતત લાઈમલાઈટમાં છવાયેલો છે. આ વચ્ચે પત્ની અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ દિલ્હીમાં પત્ની સાથે મંદિર પર દર્શને ગયો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

IamGujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ દિલ્હીમાં પત્ની સાથે મંદિર પર દર્શને ગયો હતો.”

Facebook | Fb post Archive | Article Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને નવભારત ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો આ વીડિયો હાલનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાલ મંદિરનો છે. હાલનો દિલ્હીનો નથી.” 

NavbharatTimes | Archive

જે ક્લુના આધારે સર્ચ કરતા અમને 4 માર્ચ 2023ના આ વીડિયો ફેસબુક પર પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

https://www.facebook.com/reel/881846726407146/?s=single_unit&__cft__[0]=AZUfPdGW4GKk1oNOlXuEbUwvVh5ddfLKXmptcNJlkB3pn2tHsPHc-pQKdTPTJni1d6qlpPYsVDPGrum-n3NTvLx8gw-yEi3-EBTrcTzceHJJRqi3YgP8bppqpDPAqJp6OxoA04LJF3I_zhiEML_uzkwX&__tn__=H-R

Archive

તેમજ એએનઆઈ દ્વારા પણ ઉજ્જૈન મંદિરની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ મુલાકાત અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ માર્ચ 2023નો છે. વિરાટ કોહલીનો આ વીડિયો દિલ્હીના મંદિરનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાળ મંદિરનો છે. હાલમાં દિલ્હીમાં દર્શન કરવા ગયો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ અનુષ્કા સાથે મંદિર પહોચ્યો હતો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False