શું ખરેખર પરેશ રાવલ દ્વારા હાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજા-રજવાડાઓને વાંદરા કહ્યા…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

વર્ષ 2017ની વિધાનસભાનીં ચૂંટણી દરમિયાન પરેશ રાવલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ હતુ. જે બાદ તેઓએ રાજપૂત સમાજની માંફી પણ માંગી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપાના સ્ટાર પ્રચારક અને પૂર્વ સાંસદ પરેશ રાવલનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં તેઓ સરદાર પટેલને કેન્દ્રમાં રાખી રાજા-રજવાડાઓ પર વિવાદિત નિવેદન આપી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પરેશ રાવલ દ્વારા હાલમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પરેશ રાવલ દ્વારા હાલમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન આ પ્રકારે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ વિડિયો અંગે યુટ્યુબ સર્ચ કરતા અમને સંદેશ ન્યુઝ ચેનલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડોય પ્રાપ્ત થયો હતો. જે 25 નવેમ્બર 2017ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ અંગે જૂદા-જૂદા મિડિયા (ભાસ્કર, નવભારત ટાઈમ્સ, ન્યુઝ 18 ગુજરાતી)  હાઉસ દ્વારા અહેવાલોમાં પરેશ રાવલે રાજાઓ અને રજવાડાની તુલના વાંદરાઓ કરી હતી અને તે બદલ માફી પણ માંગી હોવાની માહિતી આપવામાં આવી હતી.

તેમજ તેમની માંફી માંગતો વિડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ એએનઆઈ દ્વારા પણ પરેશ રાવલ દ્વારા માંગવામાં આવેલી માફીને લઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “હું રાજપૂત સમાજના તમામ સભ્યોની બિનશરતી માફી માંગુ છું. મને ખબર નથી કે મેં આ શબ્દો કેમ બોલ્યા. મારો ક્યારેય કોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો: પરેશ રાવલ તેમના અગાઉના નિવેદન પર માંફી માંગી રહ્યા છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, વર્ષ 2017ની વિધાનસભાનીં ચૂંટણી દરમિયાન પરેશ રાવલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ હતુ. જે બાદ તેઓએ રાજપૂત સમાજની માંફી પણ માંગી હતી.


(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પરેશ રાવલ દ્વારા હાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજા-રજવાડાઓને વાંદરા કહ્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context