જાણો દશેરાના દિવસે રાવણ દહન સમયે થયેલી ભાગદોડના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દશેરાના દિવસે થયેલા રાવણ દહનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દશેરાના દિવસે થયેલા રાવણ દહનનો છે. જ્યાં રાવણ દહન બાદ તેમાંથી ફટાકડા લોકોના ટોળા તરફ આવતાં નાસભાગ થઈ હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દર દશેહરા એ રાવણ સમર્થકો ફૂટી નીકળે છે કે રાવણે સીતાજી સાથે બળજબરી ના કરી... પરંતુ સત્ય એ છે કે રાવણને નલકુબેરે શ્રાપ આપ્યો હતો કે જો તે ક્યારેય કોઈ એવી સ્ત્રીને સ્પર્શે કે જે તેને સ્વીકારવા તૈયાર નથી, તો તે રાખ થઈ જશે.... તેના મંગેતર રંભા પર બળજબરી કરવા પર , નલ કુબરે રાવણને બાળી નાખવાનો શ્રાપ આપ્યો હતો, જ્યારે તે જાતીયરીતે સ્ત્રી પર દબાણ કરશે (उत्तर कांड, અધ્યાય 26, શ્લોક 39)... હા રાવણ શક્તિશાળી હતો જ્ઞાની હતો... પણ અહંકારી ને દુરાચારી પણ હતો ... ગુણવતાં વગર ની વિધવતા શુ કામ નું ?. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દશેરાના દિવસે થયેલા રાવણ દહનનો છે. જ્યાં રાવણ દહન બાદ તેમાંથી ફટાકડા લોકોના ટોળા તરફ આવતાં નાસભાગ થઈ હતી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર NDTV India દ્વારા 6 ઓક્ટોબર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર ખાતે દશેરાના દિવસે રાવણ દહન કર્યા બાદ રાવણના પૂતળામાં લગાવેલા ફટાકડા લોકોની ભીડમાં ઘૂસતાં બાગદોડ મચી હતી. ત્યાર બાદ એક નંદી પણ લોકોની ભીડમાં ઘૂસતાં લોકોમાં નાસભાગ મચી હતી.
આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Dainik Jagran | News 18 India
પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક પત્રકાર દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પણ 5 ઓક્ટોમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો દશેરાના દિવસે રાવણ દહન સમયે થયેલી ભાગદોડના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: Missing Context