વાયરલ પોસ્ટ ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની જૂની તસવીર છે. તેને રામ મંદિર અને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી.

અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા બાદ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. જેમાં પહોળા રસ્તા પર ભારે ભીડ જોય શકાય છે. આ વાયરલ તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન માટે મંદિર બહારની ભક્તોની ભીડ ઉમટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન માટે મંદિર બહારની ભક્તોની ભીડ ઉમટી છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે તપાસની શરૂઆતમાં વાયરલ તસવીરની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામે અમને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર વાયરલ તસવીર મળી. ફોટો 20 જૂન, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર લોકોની ભીડની આ તસવીર 2023માં યોજાયેલી રથયાત્રાની છે.

જે સ્પષ્ટ કરે છે કે વાયરલ તસવીરનો તાજેતરની પ્રાણ પ્રતિષ્ઠા કે અયોધ્યા સાથે કોઈ સંબંધ નથી.

વધુ તપાસમાં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળ્યું જેમાં વાયરલ ફોટો 20 જૂન, 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. અહીં એવી માહિતી પણ આપવામાં આવી છે કે વાયરલ તસવીર અયોધ્યાની નથી.

અમે એક યુટ્યુબ ચેનલ પર વાયરલ તસવીર પણ જોઈ. રિપોર્ટ અનુસાર, આ ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની જૂની તસવીર છે. રામ મંદિર અને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ પોસ્ટ ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની જૂની તસવીર છે. તેને રામ મંદિર અને અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભગવાન જગન્નાથની રથયાત્રાની જૂની તસવીરને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વાયરલ થઈ છે...

Written By: Frany Karia

Result: False