શું ખરેખર આજ તક ચેનલ દ્વારા રામ મંદિરના ભૂમિપૂજન સમયે બરનોલની જાહેરાત ચલાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political સામાજિક I Social

Laljibhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, આજે હું આજતક નો ખુલો વિરુદ્ધ કરું. આખા દિવસ દરમિયાન સાઈડ માં બરનોલ ની એડ આપી ને તમે સાબિત સુ કરવા માંગો. . આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આજ તક ચેનલ દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિર ભૂમિપૂજનના લાઈવ પ્રસારણ દરમિયાન બરનોલની જાહેરાત દર્શાવવામાં આવી. આ પોસ્ટને 119 લોકોએ લાઈક કરી હતી. 16 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.20-21_57_22.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આજ તક ચેનલ દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિર ભૂમિપૂજનના લાઈવ પ્રસારણ દરમિયાન બરનોલની જાહેરાત દર્શાવવામાં આવી કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ તક ચેનલ દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં અયોધ્યા ખાતે થયેલા રામ મંદિરના ભૂમિપૂજનના સંપૂર્ણ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને ક્યાંય પણ બરનોલની જાહેરાત જોવા મળી ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ તક ન્યૂઝ ચેનલ દ્વારા 6 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આજ તક ચેનલ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેમની ચેનલ દ્વારા અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આ પ્રકારની કોઈ જ જાહેરાત પ્રસારિત કરવામાં આવી ન હતી.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આજ તક ચેનલ દ્વારા અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન બરનોલની જાહેરાત દર્શાવવામાં આવી ન હતી. આજ તક ચેનલ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આજ તક ચેનલ દ્વારા અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન બરનોલની જાહેરાત દર્શાવવામાં આવી ન હતી. આજ તક ચેનલ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આજ તક ચેનલ દ્વારા રામ મંદિરના ભૂમિપૂજન સમયે બરનોલની જાહેરાત ચલાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False