
Nitesh M Vanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘RBI ના તમામ ઓફિસરોની રજા તાત્કાલિક ધોરણે રદ કરાઇ. કુછ બડા હોને વાલા હે.પણ વાંધો નહિ આ વખતે.હાથ વગુ કાય હોય તો ઉપાદી ને?’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, RBIના તમામ ઓફિસરોની રજા કેન્સલ કરવામાં આવી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર ‘RBI employees leave cancelled’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામમાં અમને ક્યાંય પણ આરબીઆઈના ઓફિસરોની રજા કેન્સલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ ન હતુ. ત્યાર બાદ અમે આરબીઆઈના અમદાવાદના એક અધિકારી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે ‘આ પ્રકારે કોઈ રજા કેન્સલ કરવામાં આવી ન હતી.’
જોકે, જૂદા-જૂદા કીવર્ડથી સર્ચ કરતા અમને RBIનું 17 ઓગસ્ટના રોજ કરવામાં આવેલું ટ્વીટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ ઓર્ડર RBI દ્વારા કરવામાં આવ્યા નથી. આ તમામ વાત ખોટી છે. આ ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, RBI દ્વારા આ પ્રકારે કોઈ રજા કેન્સલ કરવામાં નથી આવી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Title:શું ખરેખર RBIના તમામ ઓફિસરોની રજાઓ રદ કરી નાખવામાં આવી….?જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
