ડો.તેજસ પટેલ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપતો મેસેજ શેર કરવામાં આવ્યો નથી, આ મેસેજ ફેક હોવાની તેમના દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીયુટના ચેરમેન પદ્મ શ્રી ડોક્ટર તેજસ પટેલના નામે છે, જેની નામથી વાયરલ આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ડો.તેજસ પટેલ દ્વારા પાલ્મ ઓઈલને લઈ ચેતવણી આપવામાં આવી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને સૌરાષ્ટ્રના પ્રખ્યાત સાંધ્ય દૈનિક અકિલા દ્વારા તેમના ફેસબુક પેજ પર પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ડો. તેજસ પેટલ દ્વારા પાલ્મ ઓઈલને લઈને સાયબાર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે અને વાયરલ મેસેજને નજર અંદાજ કરવા જણાવ્યુ હતુ.”
તેમજ ડો. તેજસ પટેલ દ્વારા તેમના ફેસબુક પેજ પર પણ વીડિયો મેસેજ જાહેર કરીને માહિતી આપી હતી કે, આ ફેસ મેસેજ છે અને લોકોએ તેનાથી દૂર રહેવા જણાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પાલ્મ તેલને લઈ ડો. તેજસ પટેલ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી મેસેજ જાહેર કર્યો નથી, તેમના નામે ફેક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર પાલ્મ તેલને લઈ ડો. તેજસ પટેલ દ્વારા કોઈ મેસેજ જાહેર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
