
અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેજરીવાલ પંજાબના બે શહેરોની ગંદકીને લઈ પોતાની સરકારના વિરોધમાં બોલી રહ્યા હોવાનુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેજરીવાલ પોતાની જ સરકાર વિરોધમાં નિવેદન આપી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેજરીવાલ પોતાની જ સરકાર વિરોધમાં નિવેદન આપી રહ્યા છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આમ આદમી પાર્ટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કેજરીવાલની આ સ્પીચ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પંજાબમાં સીઈઓ અને બિઝનેસ લિડર્સ ની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલની ધમાકેદાર સ્પીચ.”
આ વીડિયોમાં 6 મિનિટ બાદ વાયરલ ક્લિપનો ભાગ સાંભળી શકાય છે. જેમાં તેઓ કહે છે કે આ ખરાબ શહેરોનો વારસો તેમને મળ્યો હતો. આમ અરવિંદ કેજરીવાલનો અધૂરો વીડિયો જ જાણી જોઈને ભ્રમ ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
નીચે તમે વાયરલ વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અધૂરો છે. પૂરા વીડિયોમાં અરવિંદ કેજરીવાલ તેમને ખરાબ પરિસ્થિતી સાથે તેમને આ શહેરો વારસામાં મળ્યા છે. જેને સુધારવા માટે તેઓ પુરતા પ્રયત્નો કરી રહ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context
