આ લગ્નનું આયોજન વર્ષ 2020ની છે, તેમજ આ યુવતીને મસ્જિદ ટ્રસ્ટ દ્વારા 2 લાખ રૂપિયા અને 10 તોલા સોનું આપવામાં આવ્યુ હતુ.

ધ કેરળ સ્ટોરી ફિલ્મ હાલમાં રિલિઝ થયુ છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે એક હિંદુ રિવાજ થી થતા લગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુસ્લિમો દ્વારા હિન્દુ યુવતીના લગ્ન કરાવી અને 20 લાખ રૂપિયા અને 20 તોલા સોનું આપવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુસ્લિમો દ્વારા હિન્દુ યુવતીના લગ્ન કરાવી અને 20 લાખ રૂપિયા અને 20 તોલા સોનું આપવામાં આવ્યુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને 19 જાન્યુઆરી 2020નો જાગરણનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ અનુસાર, “કયામકુલમમાં ચેરાવલી મુસ્લિમ જમાત મસ્જિદના પરિસરમાં એક કથિરમંડપમની સ્થાપના કરવામાં આવી હતી મુસ્લિમ જમાત સમિતિએ શશિધરનના પુત્ર શરથ સાસી અને કૃષ્ણપુરમની મીની અંજુ અશોક સાથે હિન્દુ લગ્નનું આયોજન કર્યું હતું. આ લગ્ન જમાત કમિટીના નેજા હેઠળ એક હિંદુ પૂજારીની આગેવાની હેઠળ હિંદુ વિધિ મુજબ કરવામાં આવ્યા હતા. સમિતિએ તેણીને દસ તોલા સોનુ અને રૂ. 2 લાખ રોકડા આપ્યા હતા.”

આજતક દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ આ લગ્ન અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ અહેવાલ તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.
તેમજ એએનઆઈ દ્વારા પણ ટ્વિટ કરીને આ જ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ટ્વિટર પર લગ્નનો ફોટો શેર કરીને નવદંપતીને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું, ‘કેરળની એકતાનું ઉદાહરણ, ચેરુવલ્લી જમાત કમિટીએ આશા અને શરતે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. માતાની અપીલ પછી, મસ્જિદ તેની પુત્રીના લગ્ન માટે આગળ આવી, નવા પરિણીત યુગલ, પરિવાર, મસ્જિદ સમિતિ અને ચેરૂવલ્લીના લોકો તરફથી અભિનંદન.’
તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે મસ્જિદ ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ લગ્ન આજથી 3 વર્ષ પહેલા યોજવામાં આવ્યા હતા, તેમજ આ લગ્નમાં ભેટ રૂપે યુવતીને 2 લાખ રૂપિયા રોકડા અને 10 તોલા સોનુ આપવામાં આવ્યુ હતુ. 20 લાખ રૂપિયા અને 20 તોલા સોનાની વાત તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ લગ્નનું આયોજન વર્ષ 2020ની છે, તેમજ આ યુવતીને મસ્જિદ ટ્રસ્ટ દ્વારા 2 લાખ રૂપિયા અને 10 તોલા સોનું આપવામાં આવ્યુ હતુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કેરળમાં હિન્દુ યુવતીના લગ્ન કરાવી મુસ્લિમો દ્વારા 20 લાખ અને 20 તોલા સોનું નથી આપવામાં આવ્યુ…. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
