મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ.

સોશિયલ મિડિયામાં એક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
K. Kumar Kandoi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે પોસ્ટમાં ચાર અલગ અલગ ક્લેમ છે.
Claim 1
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના જન્મદિવસના દિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ ઉજવવામાં આવે છે.
Claim 2
રાહુલ ગાંધીનો જન્મદિવસ 18 ડિસેમ્બર 1970ના થયો છે, તે દિવસે મેરા નામ જોકર રિલિઝ થઈ હતી.

આ પોસ્ટને સત્ય માની લોકો દ્વારા ખૂબ જ વાયરલ કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
Claim 1
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો જન્મ દિવસ 26 સપ્ટેમ્બર 1932ના થયો હતો. પરંતુ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બહેરા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધ ડેફ એન્ડ ડમ્બની સ્થાપના પછી તરત જ 1951માં આ તારીખની નોંધ લેવામાં આવી હતી.

વર્ષ 2022માં 25 સપ્ટેમ્બરે, વર્ષ 2021માં 26 સપ્ટેમ્બરે, વર્ષ 2020માં 27 સપ્ટેમ્બરે, વર્ષ 2019માં 29 સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ કહેવું સત્ય નથી કે, દર વર્ષે 25 સપ્ટેમ્બરના આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Claim 2
તેમજ બીજા ક્લેમમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીનો જન્મ 18 ડિસેમ્બર 1970માં થયો છે. અને તે જ દિવસે મેરે નામ જોકર ફિલ્મ રિલિઝ થઈ હતી.
સૌપ્રથમ અમને તપાસ કરતા જાણવા મળ્યુ કે, રાહુલ ગાંધીનો જન્મ 18 જૂન 1970ના થયો છે. 18 ડિસેમ્બર 1970 ના નથી થયો. જે તમે નીચે જોઈ શકો છો.

જો કે, મેરા નામ જોકર ફિલ્મ 18 ડિસેમ્બર 1970ના થઈ હતી. રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે મેરા નામ જોકર ફિલ્મ રિલિઝ થઈ હોવાની વાત તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:નેતાઓની જન્મ તારીખને લઈ સોશિયલ મીડિયામાં ખોટા માહિતી વાયરલ થઈ રહી.. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: PARTLY FALSE
