શું ખરેખર હૈદરાબાદમાં ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. જ્યારે મિલાદ-ઉન-નબી દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક એટલે કે ઈસ્લામિક ધ્વજ લહેરાવ્યો હતો.

હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયો નો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને હૈદરાબાદ ડેક્કન ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 2 ઓક્ટોબર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયોનો વર્તમાન સાથે કોઈ સંબંધ નથી. 

Archive

આ વીડિયોના કેપ્શન મુજબ, આ વીડિયો મિલાદ-ઉન-નબીના અવસર પર ટેન્કબેન્ડ પર યોજાયેલી રેલીનો છે. નીચે તમે વીડિયો જુઓ. 

વીડિયોમાં ધ્વજની નજીકથી તપાસ કરતાં જોઈ શકાય છે કે આ ધ્વજ માત્ર લીલો રંગનો છે. પરંતુ પાકિસ્તાનના ધ્વજમાં લીલા રંગ સિવાય એક સફેદ ભાગ છે, જે વાયરલ વીડિયોમાં ધ્વજમાં નથી. ગૂગલ સર્ચ દ્વારા અમને જાણવા મળ્યું કે આ ધ્વજ ભારતીય યુનિયન મુસ્લિમ લીગનું પ્રતિનિધિત્વ કરે છે, કેરળ સ્થિત એક રાજકીય પક્ષ (IUML કેરળ), જે કેરળમાં કોંગ્રેસ પક્ષ સાથે જોડાણમાં છે.

પાકિસ્તાની ધ્વજ અને IUML ધ્વજ વચ્ચેના તફાવતો નીચેના વિશ્લેષણમાં જોઈ શકાય છે. 

વધુ તપાસમાં, અમને હૈદરાબાદ સિટી પોલીસના અધિકૃત એક્સ હેન્ડલ પરથી એક ટ્વિટ મળ્યું, જેમાં તેઓએ વીડિયોને ગયા વર્ષે મિલાદ-ઉન-નબી તહેવાર સાથે સંબંધિત ગણાવ્યો હતો. તેમજ પોલીસે આ વીડિયો અંગે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 

Archive

પ્રાપ્ત માહિતીનો સહારો લઈને અમે વધુ તપાસ હાથ ધરી છે. પરિણામે, અમને આ રેલીના કેટલાક મીડિયા અહેવાલો મળ્યા. માહિતી અનુસાર, આ તહેવારના દિવસે, પોલીસની દેખરેખ હેઠળ સરઘસ કાઢવામાં આવ્યા હતા, જેમાં હૈદરાબાદમાં વિવિધ સ્થળોએ આવા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હૈદરાબાદમાં પાકિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવ્યો હોવાનો દાવો ખોટો છે. વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. જ્યારે મિલાદ-ઉન-નબી દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક એટલે કે ઈસ્લામિક ધ્વજ લહેરાવ્યો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર હૈદરાબાદમાં ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply