હાલ ચૌમાસાની સીઝનના વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલમાં સૌરાષ્ટ્રના દ્વારકા પંથકમાં મેઘો ખૂબ વરસ્યો છે અને 19 જૂલાઈના રોજ તમામ ગામોમાં સારો વરસાદ પડતા બારે મેઘ વરસી પડ્યા હતા. ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. પરંતુ વધુ કરતા અમને જામ રાવલના સોશિયલ એજ્યુકેશન પેજ પરની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, NDRFની કોઈ ટીમ જામ રાવલ ગામમાં મુકવામાં આવી ન હતી. આ એક અફવા છે. લોકોને અફવાથી દૂર રહેવા માટે વિંનતી કરવામાં આવી છે.

Archive

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે જામ રાવલના ચીફ ઓફિસરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, દ્વારકા જિલ્લાના અન્ય તાલુકામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. પરંતુ કલ્યાણપુરના રાવલ ગામમાં ટીમ મુકવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. દ્રારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામમાં એનડીઆરએફની ટીમ મુકવામાં આવી નથી. દ્વારકાના અન્ય તાલુકાઓમાં ટીમ તૈનાત કરવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર જામરાવલ ગામમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False