
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેરલના ભાજપના નેતાના ફોટા તેમજ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરલમાં ચૂંટણી સમયે ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પુરુ પાડવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2017 માં કેરલના મલ્લાપુરમ ખાતે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એન શ્રીપ્રકાશ દ્વારા આ પ્રકારે જનતાને વચન આપવામાં આવ્યું હતું તેનો છે. આ વીડિયોને હાલની લોકસભા ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 17 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, કેરલમાં ચૂંટણી સમયે ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પુરુ પાડવાનું વચન આપવામાં આવ્યું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને IndiaTV દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં ભાજપના નેતા દ્વારા સારું માંસ આપવાનું વચન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર 4 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2017 માં કેરલના મલ્લાપુરમ ખાતે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એન શ્રીપ્રકાશ દ્વારા જો તેઓ ચૂંટણી જીતશે તો જનતાને સારું માંસ અને મટન પુરું પાડશે એવું વચન આપવામાં આવ્યું હતું.
આજ વીડિયો માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV | InKhabar | India News Viral
અમારી વધુ તપાસમાં અમને આજ તક દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર 2 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2017 માં કેરલના મલ્લાપુરમ ખાતે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એન શ્રીપ્રકાશ દ્વારા આ પ્રકારે જનતાને વચન આપવામાં આવ્યું હતું તેનો છે. આ વીડિયોને હાલની લોકસભા ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:શું ખરેખર તાજેતરમાં કેરલના ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પૂરુ પાડવાનું વચન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading
