વિરાટ કોહલીનો જૂનો વીડિયો હાલમાં તે રામ મંદિરના દર્શન કરવા ગયો હોવાના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં રામ મંદિરે દર્શન કરવા ગયો હોવાનો વાત તદ્દન ખોટી છે.

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પૂર્ણ થઈ ગયો હોવા છતા હજુ પણ રામ મંદિર અને તે સંબંધિત નકલી અને ભ્રામક તસવીરો અને વીડિયો સોશિયમ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા પહોંચી ગયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા પહોંચી ગયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણી યુટ્યુબ ચેનલો પરના મુળ વીડિયો મળી આવ્યો હતો.

તેમજ સર્ચ દરમિયાન વિવેક કાલે નામની યુટ્યુબ ચેનલ પર એક વાયરલ વીડિયો જોવા મળ્યો હતો. 20 સપ્ટેમ્બર 2023ના રોજ તેને શોટ્સના ફોર્મેટમાં અપલોડ કરતા લખ્યું હતું કે વિરાટ કોહલી ગણપતિ દર્શન માટે તેના મિત્રના ઘરે ગયો હતો. આ વીડિયો અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

સ્પોર્ટસકીડા નામની વેબસાઈટ અનુસાર સપ્ટેમ્બર 2023માં વિરાટ કોહલી ગણપતિ દર્શન માટે રાહુલ કનાલના ઘરે ગયો હતો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ઘણા મીડિયા અહેવાલો મળ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીને આમંત્રણ પત્ર મળ્યુ હોવા છતાં અયોધ્યા સમારોહમાં હાજરી આપી ન હતી. એ જ રીતે, કેટલાક સમાચારોમાં એવું કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી ભલે અયોધ્યા ન પહોંચી શક્યો, પરંતુ તેના જેવો જ લાગતો એક વ્યક્તિ ત્યાં ચોક્કસ પહોંચી ગયો હતો.

ન્યુઝ 18 દ્વારા 23 જાન્યુઆરી, 2024ના રોજ પ્રકાશિત સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બંનેને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ અયોધ્યામાં કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. આ સમાચાર અહીં વાંચી શકાય છે.

News18 | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિરાટ કોહલીનો જૂનો વીડિયો હાલમાં તે રામ મંદિરના દર્શન કરવા ગયો હોવાના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં રામ મંદિરે દર્શન કરવા ગયો હોવાનો વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો રામ મંદિર અયોધ્યાનો નથી... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False