લોકડાઉન 5.0 કડક નિયમો સાથે 1 જૂનથી લાગૂ થશે એ માહિતીને મુખ્યમંત્રીએ ગણાવી અફવા… જાણો શું છે સત્ય…

Coronavirus False સામાજિક I Social

Khissu  નામના ફેસબુક પેજ દ્વારા 27 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન 5.0આવી રહ્યું છે હશે કડક નિયમો #Lockdown4.0 #khissu #Yojna #News #Tech #gujrati. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1 જૂનથી કડક નિયમો સાથે લોકડાઉન 5.0 લાગુ કરવામાં આવશે. આ પોસ્ટને 147 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 66 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.29-20_11_36.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર 1 જૂનથી કડક નિયમો સાથે લોકડાઉન 5.0 લાગુ કરવામાં આવશે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Vtv Gujarati News and Beyond નામની ગુજરાતી સમાચાર ચેનલ દ્વારા 29 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકડાઉન 5.0 ને લઈ જે માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે એક અફવા માત્ર છે. લોકડાઉન 5.0 નવા કડક નિયમો સાથે 1 જૂનથી લાગુ થશે એવી કોઈ જ માહિતી કે ચર્ચા-વિચારણા હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. મુખ્યમંત્રી દ્વારા લોકોને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું હતું.

Archive

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. News 18 Guajarati | gstv.in | iamgujarat.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ લોકડાઉન 5.0 નવા કડક નિયમો સાથે 1 જૂનથી લાગુ થશે એવી કોઈ જ માહિતી કે ચર્ચા-વિચારણા હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. મુખ્યમંત્રી દ્વારા લોકોને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, લોકડાઉન 5.0 નવા કડક નિયમો સાથે 1 જૂનથી લાગુ થશે એવી કોઈ જ માહિતી કે ચર્ચા-વિચારણા હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. મુખ્યમંત્રી દ્વારા લોકોને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:લોકડાઉન 5.0 કડક નિયમો સાથે 1 જૂનથી લાગૂ થશે એ માહિતીને મુખ્યમંત્રીએ ગણાવી અફવા… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False