રાહુલ ગાંધીનો માંસાહારી ભોજન લેતો આ વીડિયો જૂનો છે. એપ્રિલ મહિના દરમિયાનનો દિલ્હીના રેસ્ટારન્ટનો આ વીડિયો છે. શ્રાવણ મહિના દરમિયાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે તેમને એક રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા શ્રાવણ મહિના દરમિયાન માંસાહારી ભોજન આરોગ્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Banna Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા શ્રાવણ મહિના દરમિયાન માંસાહારી ભોજન આરોગ્યુ હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને રાહુલ ગાંધીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે વીડિયો 22 એપ્રિલ 2023 અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્લી મેં છોલે ભટુરે ઔર મોહબ્બત કા શરબત | રાહુલ ગાંધી | કુણાલ વિજયકર સાથેની વાતચીત.” આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ વીડિયોની શરૂઆતમાં રાહુલ ગાંધી વેજ ભોજન ખાતા પણ જોઈ શકાય છે.

રાહુલ ગાંધીના આ ભોજન અંગે મીડિયા હાઉસ દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 23 એપ્રિલ 2023ના પ્રસારિત અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “રાહુલ ગાંધી, જેમણે ઘણા પ્રસંગોએ ખોરાક પ્રત્યેના તેમના પ્રેમ વિશે ખુલ્લું મૂક્યું છે, તાજેતરમાં ફૂડ જર્નાલિસ્ટ કુણાલ વિજયકર સાથે દિલ્હીમાં ફૂડ વોક પર ગયા હતા, જે દરમિયાન તેમણે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણ્યો હતો અને તેમની રાંધણ પસંદગીઓ પણ શેર કરી હતી. બંગાળી બજારથી જૂની દિલ્હી સુધી - કેટલીક લોકપ્રિય વાનગીઓનો આનંદ માણવા માટે બંને રાષ્ટ્રીય રાજધાનીની શેરીઓમાંથી પસાર થતાં, રાજકારણીએ કબૂલાત કરી કે તેણે છેલ્લે એક કે બે વર્ષ પહેલાં સ્ટ્રીટ ફૂડ ખાધું હતું.

Indian express | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો રાહુલ ગાંધીનો હાલનો શ્રાવણ મહિના દરમિયાનનો નથી, આ વીડિયો 22 એપ્રિલ 2023નો છે. શ્રાવણ મહિના દરમિયાન નોનવેજ ભોજન લીધુ હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન નથી લીધુ... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context