તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાછળના ભાગેથી તૂટેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી અને યોગીના રાજમાં ઉત્તરપ્રદેશમાં બસોની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાછળના ભાગેથી તૂટેલી બસનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બસ કાનપુરથી લખનઉ આવી રહી હતી ત્યારે પાછળથી કોઈ વાહને ટક્કર મારતાં બસનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. ત્યાર બાદ આ બસને મરામત માટે લખનઉ ખાતે મોકલવામાં આવી હતી એ સમયનો આ ફોટો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 1 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોદી અને યોગીનાં રામરાજ્ય, યુપીની હાલત આવી થઈ ગયેલ છે.. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી અને યોગીના રાજમાં ઉત્તરપ્રદેશની આવી હાલત થઈ ગઈ છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો સાથેની ટ્વિટ અમને ઉત્તરપ્રદેશ સરકારના વાહન વ્યવહાર વિભાગના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 12 ડિસેમ્બર, 2022 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આસિસ્ટન્ટ રિજનલ મેનેજર રાયબરેલી ડેપોએ માહિતી આપી હતી કે, કાનપુરથી લખનઉ આવતી વખતે પાછળથી એક વાહનની ટક્કરથી બસને નુકસાન થયું હતું, જેને રિપેરિંગ માટે રિજનલ વર્કશોપ લખનઉ મોકલવામાં આવી હતી અને રૂટ પર ફોટો લેવામાં આવ્યો હતો અને એવું ટ્વિટ કર્યું કે, બસ મુસાફરો સાથે ચલાવવામાં આવી રહી છે. જ્યારે બસમાં કોઈ મુસાફરો ન હતા અને આ બસને રિપેરીંગ કામ માટે મોકલવામાં આવી હતી. રિપેરીંગ માટે લઈ જવામાં આવી રહેલી બસના ફોટા પાડીને ટ્વિટ કરીને વિભાગ સામે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

https://twitter.com/UPSRTCHQ/status/1602243148440539137

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે અને આ બસની હાલત પણ અકસ્માત સર્જાવાને કારણે જ આ થઈ હતી અને આ બસને રિપેરીંગ કામ માટે લઈ જવામાં આવી હી હતી.

આજ ફોટો ખોટી માહિતી સાથે વાયરલ થતો હોવાના એખ સમાચાર missionkiawaaz.in દ્વારા પણ 15 જુલાઈ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાછળના ભાગેથી તૂટેલી બસનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બસ કાનપુરથી લખનઉ આવી રહી હતી ત્યારે પાછળથી કોઈ વાહને ટક્કર મારતાં બસનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. ત્યાર બાદ આ બસને મરામત માટે લખનઉ ખાતે મોકલવામાં આવી હતી એ સમયનો આ ફોટો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો રસ્તા પર દોડતી પાછળથી તૂટી ગયેલી બસના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Misleading