તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ ધર્મના ઝંડા લહેરાવી રહેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વાયનાડ ખાતે રાહુલ ગાંધીના નામાંકન સમયે લોકો દ્વારા મુસ્લિમ ધર્મના ઝંડા લહેરાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ ધર્મના ઝંડા લહેરાવી રહેલા લોકોની ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 માં રાહુલ ગાંધીએ જ્યારે વાયનાડથી નામાંકન ભર્યું હતું તે સમયનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 9 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વાયનાડ સંસદીય સીટ, થી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના નામાંકન વખતે રેલી મા મુસ્લિમ લીગ ના ઝંડા લહેરાઈ રહ્યા છે. હિન્દુ સમાજ આનો ગુપ્ત એજન્ડા સમજે એટલું જરૂરી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વાયનાડ ખાતે રાહુલ ગાંધીના નામાંકન સમયે લોકો દ્વારા મુસ્લિમ ધર્મના ઝંડા લહેરાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અમને એક યુટ્યુબ પેજ દ્વારા 10 જૂન, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આઈયુએમએલ 2019.

https://www-youtube-com.translate.goog/shorts/oRAY-8_YU14?_x_tr_sl=en&_x_tr_tl=hi&_x_tr_hl=hi&_x_tr_pto=imgs

અમારી વધુ તપાસમાં આજ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા 24 મે 2019 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો વાયનાડમાં રાહુલ ગાંધીના વિજય સરઘસનો છે.

Archive

વધુમાં અમને આજ વીડિયો 25 મે, 2019 ના રોજ એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, હુલ ગાંધી દ્વારા તાજેતરમાં વાયનાડ સીટ પરથી નામાંકન પત્ર ભરવામાં આવ્યું ત્યારે કેવી પરિસ્થિતિ હતી? તો અમને News 18 India દ્વારા 3 એપ્રિલ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં રાહુલ ગાંધીના નામાંકન સમયની ભીડના તમામ દ્રશ્યો તમે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ ધર્મના ઝંડા લહેરાવી રહેલા લોકોની ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 માં રાહુલ ગાંધીએ જ્યારે વાયનાડથી નામાંકન ભર્યું હતું તે સમયનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં વાયનાડ ખાતે રાહુલ ગાંધીના નામાંકન સમયે મુસ્લિમ ઝંડા લહેરાયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Misleading