
Sanjay Patel નામના ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇટલી મા મહામારી કોરોના ને ભગાડવા હિન્દૂ સઁસ્કૃતિ નો મા મહામૃત્યુંજય ના પાઠ કરવાનું આયોજન કરાયું… જય ભોલે 🙏🙏🙏🙏. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસથી બચવા માટે ઈટલીમાં લોકો દ્વારા મહામૃત્યુંજયના પાઠ કરવામાં આવ્યા તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 81 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. 251 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કોરોના વાયરસથી બચવા માટે ઈટલીમાં લોકો દ્વારા મહામૃત્યુંજયના પાઠ કરવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Saraswatipravah દ્વારા 27 જૂન, 2015 ના રોજ યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થઈ હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે હિન્દૂ ધર્મમાં પરિવર્તન થયેલા શિવભક્તો દ્વારા ત્ર્યંબકમ હોમ કરવામાં આવ્યો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને satyavijayi.com દ્વારા પણ આજ માહિતી સાથે 14 સપ્ટેમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો.
હવે એ જાણવું જરૂરી હતું કે, વિશ્વમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો? તેથી અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને theguardian.com અને economictimes.indiatimes.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પરથી એ જાણવા મળ્યું હતું કે, કોરોના વાયરસનો પ્રથમ કેસ અને તેને લગતી માહિતી નવેમ્બર – ડિસેમ્બર 2019 માં સમગ્ર વિશ્વમાં જાણવા મળી હતી. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2015 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેથી આ વીડિયો અને કોરોના વાયરસને કોઈ જ સંબંધ નથી એવું સ્પષ્ટ સાબિત થાય છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈટલીનો નહીં પુરંતુ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરનો છે એ પણ વર્ષ 2015 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેથી તેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈટલીનો નહીં પુરંતુ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરનો છે એ પણ વર્ષ 2015 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેથી તેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે મહામૃત્યુંજયના પાઠનો જૂનો વીડિયો ઈટલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
