શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા ઈમામોના પગારમાં વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

P M Beladiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેજરીવાલ સરકાર નો પ્રથમ કામકાજ ના શ્રી ગણેશ કર્યા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા ઈમામોના પગારમાં કરવામાં આવેલા વધારા અંગેના પ્રથમ કાર્યનો છે. આ પોસ્ટને 21 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 555 લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં તાજેતરમાં બનેલી કેજરીવાલ સરકાર દ્વારા લેવામાં આવેલા પ્રથમ કાર્યનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને 24 જાન્યુઆરી, 2019 ના રોજ Zee Hindustan દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કેજરીવાલ સરકાર દ્વારા 200 મસ્જિદોના ઈમામ તેમજ અજાન આપનાર મુઆજ્જિનોના પગારમાં વધારો કરવામાં આવ્યો. આ સંપૂર્ણ સમાચાર જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. बोलते चित्र | Zee News | News18 Urdu

ઉપરોક્ત માહિતી સાથેના સમાચાર તમે અન્ય વેબસાઈટ પર પણ જોઈ શકો છો.

navbharattimes.indiatimes.com | Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીની સરકાર હમણાં જ બની છે જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ઈમામોના પગાર વધારાની જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા જાન્યુઆરી, 2019 ના રોજ એટલે કે એક વર્ષ અગાઉ કરવામાં આવી હતી. હવે એ જાણવું જરૂરી હતું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તેના ચૂંટણી પરિણામો ક્યારે આવ્યા અને ક્યારે સરકાર બની? જેમાં અમને Tez દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ આવ્યું એ પહેલાનો વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે અને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમને IndiaTV દ્વારા 16 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પરથી એ જાણવા મળ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ દ્વારા 16 ફેબ્રુઆરી, 2020 ના રોજ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા અને સરકાર બનાવવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની એના એક વર્ષ પહેલાનો છે. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે તાજેતરમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની એના એક વર્ષ પહેલાનો છે. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે તાજેતરમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા ઈમામોના પગારમાં વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False