આ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2012થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. જેને ધૈર્યાના અંતિમ સંસ્કાર સાથે કોઈ સંબંધ નથી

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાલાલાના ધાવા ગીર ગામે 14 વર્ષીય ધૈર્યાની ભૂતનું વળગાડ હોવાની શંકાથી પિતાએ ઘાતકી હત્યા કરી નાંખી. જેને લઈ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ થયો હતો ત્યારે સહાનુભૂતી ભરેલી પોસ્ટ પણ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોઈ શકાય છે આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ધૈર્યાની અંતિમવિધિમાં જોડાયેલો લોકોનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પણ ભાવિકા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ધૈર્યાની અંતિમવિધિમાં જોડાયેલો લોકોનો છે.”

Facebook | Fb post Archive | Fb Artice archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને વિકિપિડિયા પર આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો 18 સપ્ટેમ્બર 2010નો છે. જે Puttaraj Gawai’ji ની અંતિમ યાત્રા દરમિયાનનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

વિકિપિડિયા

તેમજ વધુ સર્ચ કરતા અમને પુટુરાજ કવિગવાઈ યુવક મિત્ર મંડળ (R) નામના ફેસબુક પેજ પર આ ફોટો વર્ષ 2012ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો ધૈર્યાના અંતિમ સંસ્કારનો નહિં પરંતુ વર્ષ 2012થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. ધૈર્યાના અંતિમ સંસ્કાર જોડે તેને કોઈ લેવા દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2012થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. જેને ધૈર્યાના અંતિમ સંસ્કાર સાથે કોઈ સંબંધ નથી

Fact Check By: Frany Karia 

Result: Partly False